AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીડ્સમાં 5 સદી છતા હાર બાદ ટીમ ઈન્ડિયાએ સમય બગાડ્યા વિના લીધો આ નિર્યણ, ગિલ-ગંભીરે ઘડી નવી રણનીતિ

શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારી ગયો. હવે ટીમ ઈન્ડિયાને આગામી 2 જુલાઈથી બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ મેચ માટે કોઈ કસર છોડવા માંગતા નથી. તેઓ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવા પર નજર રાખી રહ્યા છે.

લીડ્સમાં 5 સદી છતા હાર બાદ ટીમ ઈન્ડિયાએ સમય બગાડ્યા વિના લીધો આ નિર્યણ, ગિલ-ગંભીરે ઘડી નવી રણનીતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2025 | 7:30 PM
Share

ભારતની યુવા ક્રિકેટ ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત તેમના માટે ખૂબ નિરાશાજનક રહીં. ટેસ્ટ મેચમાં બન્ને દાવમાં થઈને કૂલ પાંચ સદી ફટકારવા છતા 5 વિકેટે હારનો સામનો કરવો પડયો. હવે ટીમ ઈન્ડિયાને બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની છે.

આ મેચ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન રમાશે. આ મેચમાં હજુ 1 અઠવાડિયું બાકી હોવા છતાં, ભારતીય ખેલાડીઓ શ્રેણીમાં વાપસી કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. તેમણે સમય બગાડ્યા વિના મોટો નિર્ણય લીધો છે.

લીડ્સની હાર બાદ સમય બગાડ્યો નહીં

પહેલી મેચમાં પાંચ વિકેટથી હાર મળ્યાં બાદ ભારતીય ક્રિકેટ ટીમે હવે બીજી ટેસ્ટ મેચ રમવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા આજે બુધવારે જ લીડ્સથી બર્મિંગહામ જવા રવાના થઈ હતી, જ્યાં બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી શરૂ થશે. લીડ્સ ટેસ્ટ સમાપ્ત થયાને 24 કલાક પણ થયા નથી અને ભારતીય ટીમ બર્મિંગહામ ગઈ છે. એટલે કે ખેલાડીઓએ આરામ કરવાને બદલે આગામી મેચની તૈયારી પર વધુ ભાર મૂક્યો છે.

લીડ્સ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી મળેલી હાર બાદ, ખેલાડીઓ હવે નવી ઉર્જા સાથે આગામી મેચ માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. પ્રથમ ટેસ્ટમાં, શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં પાંચ સદી ફટકારવામાં આવી હતી, પરંતુ ફિલ્ડિંગ અને બોલિંગમાં ભૂલોએ તેમને જીતથી દૂર રાખ્યા હતા.

હવે ટીમ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાનારી બીજી ટેસ્ટમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ગિલ અને કોચ ગૌતમ ગંભીર આ હારમાંથી શીખશે અને ટીમમાં સંતુલન અને રણનીતિ સુધારવાની યોજના બનાવશે. કેપ્ટન ગિલ માટે આ એક મોટો પડકાર હશે.

એજબેસ્ટન ખાતે ખૂબ જ ખરાબ રેકોર્ડ

એજબેસ્ટન ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે એક મોટો પડકાર છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ક્યારેય ઇંગ્લેન્ડને ટેસ્ટમાં હરાવ્યું નથી. આ મેદાન પર બંને ટીમો વચ્ચે 8 મેચ રમાઈ છે. આમાંથી 7 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, એક મેચ ડ્રો રહી હતી. છેલ્લે બંને ટીમો આ એજબેસ્ટન ખાતે 2022 માં ટકરાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 7 વિકેટથી મેચ હારી ગઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">