કિંગ કોહલી મુંબઈમાં T20 વર્લ્ડકપની ઉજવણી કરી રાતોરાત વિદેશ જવા રવાના થયો, જાણો કેમ
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સાથે બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાના કારણે ફસાઈ ગયો હતો. 4 જુલાઈએ ભારત પાછો ફર્યો અને દિવસભર T20 વર્લ્ડકપની જીતની ઉજવણી કરી. તે વિદેશ પ્રવાસે નીકળ્યો છે.
વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે 4 જુલાઈના રોજ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ આખો દિવસ ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી મુંબઈથી વિદેશ જવા રવાના થયો છે. દિલ્હીમાં વિરાટ કોહલીએ તેના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ આખી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી અને મુંબઈમાં વિકટ્રી પરેડમાં જવા ટીમ નીકળી હતી. વિરાટ પરેડમાં શાનદાર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. મુંબઈમાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વિદેશ જવા રવાના થયો છે.
મુંબઈમાં ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી
#WATCH | Rohit Sharma and Virat Kohli lift the #T20WorldCup2024 trophy and show it to the fans who have gathered to see them hold their victory parade, in Mumbai. pic.twitter.com/jJsgeYhBnw
— ANI (@ANI) July 4, 2024
વિરાટ કોહલી વિદેશ કેમ ગયો ?
ભારત પરત ફર્યા બાદ વિરાટ કોહલી શાંતીથી બેઠો નથી. પહેલા તેમણે એક ખેલાડી તરીકે તેમજ ટી20 ચેમ્પિયન તરીકેની જવાબદારી પૂર્ણ કરી આ પહેલા એક મહિના તે ન્યુયોર્ક અને વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર હતો. હવે પરિવારની ડ્યુટી નિભાવવા માટે તે લંડન ગયો છે. રિપોર્ટ અનુસાર તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં રહેશે. તેને મળવા માટે રાતોરાત મુંબઈથી લંડન રવાના થયો છે.
પરિવારને મળવા આતુર છે કિંગ કોહલી
ભારતે જ્યારે ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો તો તેની સાથે વિરાટ કોહલીનો પરિવાર સાથે હાજર ન હતો. રોહિત શર્માએ મેદાન પર પોતાની પત્ની રિતિકા સાથે ખુશી શેર કરી હતી, તો જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પણ તેના બાળક સાથે હાજર હતી, પરંતુ કોહલીએ ફોન પર પોતાના પરિવાર સાથે આ ખુશી શેર કરતો જોવા મળ્યો હતો. તે સમયે સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, વિરાટ તેના પરિવારને કેટલો મિસ કરે છે.
મુંબઈ એરપોર્ટ પર મોડી રાતે જોવા મળ્યો
મુંબઈમાં ટી20 વર્લ્ડકપની વિક્ટ્રી પરેડમાં એટલી ભીડ જોવા મળી હતી કે, જાણે આખું મુંબઈ આ ઉજવણી કરી રહ્યું હોય.
View this post on Instagram