અભિષેક શર્માએ તોફાની સદી ફટકાર્યા બાદ લગાવ્યો ગુરુને વીડિયો કોલ, યુવરાજ સિંહએ ગર્વ અનુભવ્યો

પ્રથમ T20માં ઓપનર તરીકે મેદાને ઉતરેલા અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી સદીએ, ભારત માટે બીજી T20Iમાં જીતનો પાયો નાખ્યો. શર્માની રમતના આધારે ભારતે શાનદાર જીત મેળવી હતી. શર્માની રમતને લઈ હરારેના મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ T20I સ્કોર થઈ શક્યો હતો.

| Updated on: Jul 08, 2024 | 4:05 PM

પ્રથમ સદી ફટકારીને અભિષેક શર્માએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. ઝિમ્બાબ્વે સામે ઓપનર તરીકે બેટિંગ કરતા શાનદાર તોફાની સદી શર્માએ ફટકારી હતી. જેને લઈ ભારતીય ટીમે વિશાળ લક્ષ્ય ઝિમ્બાબ્વે સામે ખડકીને જબરદસ્ત જીત મેળવી હતી. શર્માએ સદી નોંધાવ્યા બાદ પોતાના પરિવાર અને પોતાના ગુરુને વીડિયો કોલ કર્યો હતો.

અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કોલ કર્યો હતો. પરિવારજનોને તેણે આ ખુશીઓની પળોને શેર કરતી વાતો કરવા સાથે પોતાના ગુરુને પણ વાત કરી હતી. અભિષેકની બેટિંગમાં યુવરાજ સિંહની છાપ જોવા મળી રહી છે. યુવરાજ સિંહે અભિષેકને માટે ખૂબ મહેનત કરી છે. જે બેટિંગમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

યુવરાજ સિંહ સાથે અભિષેક શર્માના વીડિયો કોલ દરમિયાન શું થયું?

ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં પોતાની તોફાની સદી સાથે ટીમ ઈન્ડિયાની જીત પર મહોર લગાવનાર અભિષેક શર્માએ મેચ સમાપ્ત થયા બાદ બે ખાસ લોકોને વીડિયો કોલ કર્યો હતો. ઝિમ્બાબ્વેથી તેણે પ્રથમ કોલ પોતાના પરિવારને કર્યો હતો, જેમાં અભિષેકનો આખો પરિવાર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

પરિવારને વાત કર્યા બાદ બીજો કોલ અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને જોડ્યો હતો. અભિષેકે તેના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કૉલ કર્યો હતો, જેમાં યુવરાજ સિંહ પોતાના શિષ્યની અજોડ સફળતા પર ગર્વ અનુભવતો જોવા મળ્યો હતો. અભિષેકે 8 છગ્ગાની મદદ વડે 47 બોલમાં જ 100 રનની ઈનીંગ રમી હતી.

 

પ્રથમ મેચમાં નિષ્ફળ, બીજી T20Iમાં સ્ટાર બન્યો

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ઓપનર તરીકે મેદાને ઉતરેલા અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પહેલા જ બોલ પર આઉટ થતાં તેને ડગઆઉટમાં પરત ફરવું પડ્યું હતું.ખેલાડીઓના પ્રથમ મેચમાં નબળા પ્રદર્શનને લઈ ભારતને આ મેચ પણ હારવી પડી હતી. પરંતુ, બીજી T20Iમાં અભિષેક શર્માએ ઓપનર તરીકે એવી બેટિંગ દર્શાવી કે જેના માટે તે જાણીતો છે.

અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી સદીએ, ભારત માટે બીજી T20Iમાં જીતનો પાયો નાખ્યો. શર્માની રમતના આધારે ભારતે શાનદાર જીત મેળવી હતી. શર્માની રમતને લઈ હરારેના મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ T20I સ્કોર થઈ શક્યો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">