Emcure Pharma IPO : આવી રહી છે કમાણીની તક, આ ફાર્મા કંપની 4500 કરોડનો IPO લાવશે , જાણો કંપની અને યોજનાઓ વિશે અહેવાલમાં

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે(Emcure Pharmaceuticals) ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) દ્વારા મૂડી એકત્ર કરવા માટે બજાર નિયમનકાર SEBIને અરજી કરી છે. આ આઈપીઓ(Emcure Pharmaceuticals IPO) દ્વારા કંપની બજારમાંથી મૂડી એકત્ર કરવાની યોજના તૈયાર કરી રહી છે.

Emcure Pharma IPO : આવી રહી છે કમાણીની તક, આ ફાર્મા કંપની  4500 કરોડનો IPO લાવશે , જાણો કંપની અને યોજનાઓ વિશે અહેવાલમાં
Emcure Pharmaceuticals IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:08 AM

શેરબજાર કોરોનાકાળમાં પણ સતત નવા વિક્રમો સ્થાપી રહ્યા છે. IPO માર્કેટ છેલ્લા બે મહિના દરમિયાન નવા રેકોર્ડ પણ સ્થાપી રહ્યું છે. જુલાઈ અને ઓગસ્ટની વચ્ચે ઘણી મોટી કંપનીઓના IPO આવ્યા છે અને ઘણી કંપનીઓ આવી રહી છે. આ અંતર્ગત હવે ફાર્મા સેક્ટરની કંપનીએમક્યોર પણ પોતાનો આઈપીઓ લાવી રહી છે.

બૈન કેપિટલ સમર્થિત એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે(Emcure Pharmaceuticals) ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) દ્વારા મૂડી એકત્ર કરવા માટે બજાર નિયમનકાર SEBIને અરજી કરી છે. આ આઈપીઓ(Emcure Pharmaceuticals IPO) દ્વારા કંપની બજારમાંથી મૂડી એકત્ર કરવાની યોજના તૈયાર કરી રહી છે.

1100 કરોડના ઇક્વિટી શેર જારી કરવામાં આવશે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, IPO રૂ. 1,100 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરશે, જ્યારે તેમાં હાલના શેરધારકો દ્વારા 18,168,356 શેરની વેચાણ ઓફર (OFS) સામેલ કરવામાં આવશે. OFS હેઠળ પ્રમોટર્સ સતીશ મહેતા અને સુનીલ મહેતા અનુક્રમે 20.30 લાખ અને 2.5 લાખ શેર વેચશે. રોકાણકાર બીસી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 99.5 લાખ શેર વેચશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ રકમનો ઉપયોગ લોનની ચુકવણીમાં કરવામાં આવશે હાલમાં સતીશ મહેતા અને સુનીલ મહેતા કંપનીમાં અનુક્રમે 41.92 ટકા અને 6.13 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બીસી ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે 13.09 ટકા હિસ્સો છે. કંપની આઈપીઓ પહેલા 200 કરોડ રૂપિયા સુધીનું આયોજન કરવાનું વિચારી રહી છે. જો આ પૂર્ણ થાય તો ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવશે. ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

ઘણી કંપનીઓ કતારમાં છે આ વર્ષના અંત સુધીમાં દેશની સૌથી મોટી વીમા કંપની LIC, Paytm સહિત ઘણી કંપનીઓ IPO લાવવાની તૈયારી કરી રહી છે. તો ગ્લેનમાર્ક, રોલેક્સ રિંગ્સ સહિત ઘણી ફિનકેર કંપનીઓ પણ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. એકંદરે વર્ષ 2021 IPO ની દ્રષ્ટિએ સૌથી મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે. બીજી બાજુ દેવાના બોજ હેઠળ દબાયેલા દેશના અબજોપતિ બિઝનેસમેન અનિલ અગ્રવાલ હવે IPO મારફતે તેમની લોન પરત કરવાની યોજના બનાવી રહ્યા છે. હકીકતમાં અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપની સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશનએ તાજેતરમાં મૂડી બજાર નિયમનકાર સેબીને પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) દ્વારા 1,250 કરોડ એકત્ર કરવા માટે અરજી કરી છે.

બાબા રામદેવ PATANJALI IPO લાવશે બાબા રામદેવ(Baba Ramdev)ની કંપની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved) પણ તેનો આઈપીઓ લાવવા વિચારી રહી છે. એક નિવેદનમાં બાબા રામદેવે કહ્યું હતું કે પતંજલિનો આઇપીઓ (Patanjali IPO )આવતા વર્ષે આવી શકે છે. તેમણે કહ્યું કે રૂચી સોયા(Ruchi Soya) પહેલા અમે પતંજલિનો આઈપીઓ લાવવાનો વિચાર કર્યો ન હતો. પરંતુ હવે ડર દૂર થઈ ગયો છે અને તે આવતા વર્ષે બજારમાં લિસ્ટ થશે.

પતંજલિ આયુર્વેદે નાદાર કંપની રૂચી સોયા હસ્તગત કરી હતી અને 27 જાન્યુઆરી, 2020 ના રોજ રુચી સોયાના શેર ફરીથી લિસ્ટિંગ કરવામાં આવ્યા હતા. એક ન્યુઝ મીડિયા સાથે મુલાકાતમાં બાબા રામદેવે કહ્યું કે 17 રૂપિયાની આસપાસનો સ્ટોક 6 મહિનામાં 1500 રૂપિયાને પાર કરી ગયો. પ્રથમ 6 મહિનામાં અમને લગભગ 8900 ટકાનું શાનદાર વળતર મળ્યું છે. કંપનીનું માર્કેટ કેપ રૂ 32,500 કરોડ છે.

આ પણ વાંચો :   Petrol Diesel Price Today : સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો થશે ખર્ચ

આ પણ વાંચો :  PNB ને મળી મોટી સફળતા! ED ભાગેડુ નીરવ મોદીની જપ્ત સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">