BJP પાર્લામેન્ટ્રી બોર્ડમાં થશે 6 મનપાના મેયર પદ માટે મંથન, કોણ-કોણ છે દાવેદારો ?

BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની 6 મનપાના મેયર સહિત અન્ય હોદ્દેદારોના નામો પર મંથન હાથ ધરાશે. અને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નામો પર પસંદગીની મહોર વાગશે.

| Updated on: Mar 08, 2021 | 5:02 PM

BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની 6 મનપાના મેયર સહિત અન્ય હોદ્દેદારોના નામો પર મંથન હાથ ધરાશે. અને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નામો પર પસંદગીની મહોર વાગશે. જોકે આખરી નિર્ણય લેતા પહેલા જે તે શહેરોની ભાજપની સંકલન સમિતિ સાથે ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 10મી માર્ચે ત્રણ મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. જ્યારે 12મી માર્ચે અન્ય બાકી ત્રણ મનપાના મેયર સહિતના હોદ્દેદારોના નામોની વિધિવત રીતે જાહેરાત કરાશે.

અમદાવાદમાં મેયર કોણ બનશે ?

અમદાવાદ મનપાના મેયર પદ માટે 3 નામોની ચર્ચા છે. જેમાં હિમાંશુ વાળા, કિરીટ પરમાર અને અરવિંદ પરમાર રેસમાં છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે જતીન પટેલ અને કમલેશ પટેલના નામો ચર્ચામાં છે. તો અમદાવાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે જૈનિક વકીલને ફાઇનલ હોવાનું કહેવાય છે.

રાજકોટમાં મેયર માટે 3 નામો રેસમાં

મેયર પદ માટે ત્રણ કોર્પોરેટરના નામ ચર્ચામાં છે. જેમાં પ્રદિપ ડવ, અલ્પેશ મોરઝરીયા અને બાબુ ઉધરેજાના નામો રેસમાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પુષ્કર પટેલ, દેવાંગ માંકડ અને નેહલ શુક્લના નામો ચર્ચામાં છે.

સુરતમાં મેયર કોણ ?

મેયર પદની રેસમાં 3 નામો છે. જેમાં હેમાલી બોઘાવાળા, દર્શીની કોઠીયા અને ઉર્વશી પટેલના નામો ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પરેશ પટેલ ફાઇનલ હોવાનું લાગે છે.

જામનગરમાં કોણ બનશે મેયર ?

મેયર પદ માટે બીના કોઠારી, કુસુમ પંડ્યા, અલ્કા જાડેજા અને ક્રિષ્ના સોઢાના નામોની ચર્ચા ચાલી રહી છે. તો ડેપ્યુટી મેયર પદ માટે કિસન માડમ અને ગોપાલ સારઠીયાનું નામ રેસમાં છે.જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે મનિષ કટારીયા અને દિવ્યેશ અકબરીના નામોની ચર્ચા છે.

ભાવનગરમાં મેયર પદના કોણ દાવેદાર ?

મેયર પદ માટે કીર્તિ દાણીધારીયા, વર્ષા પરમાર, યોગીતા ત્રિવેદી અને મોના પારેખના નામોની ચર્ચા છે. તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પંકજસિંહ ગોહીલ, રાજુ રાબડીયા, કુલદીપ પંડ્યા અને કુમાર શાહ રેસમાં છે.

વડોદરામાં મેયર માટે કોની છે ચર્ચા ?

મેયર પદ માટે ત્રણ નામોની ચર્ચા છે. જેમાં પૂર્વ પાણી સમિતિના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ કેયુર રોકડીયા અને સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે હેમિષા ઠક્કર અને સ્નેહલ પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે.તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે બંદિશ શાહ અને કેયુર રોકડિયાના નામોની ચર્ચામાં છે.

 

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">