PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ
3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ […]
3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો
દિલ્હી પોલીસના સુત્રો અનુસાર માત્ર વિરાટ કોહલી જ નહીં પણ આતંકવાદીઓના નિશાના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ આડવાણી, જેપ્પી નડ્ડા અને સંઘના પ્રમુખ મોહન ભાગવતનો પણ સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પત્રમાં એવો ખૂલાસો કરવામાં આવ્યો છે કે કોઈ કેરલનું સંગઠન આતંકવાદી હુમલો કરી શકે તેમ છે. આ પત્ર બાદ સાચો કે ખોટો હોય શકે પણ સુરક્ષાને લઈને કોઈપણ બાંધછોડ કરી શકાય તેમ નથી. જેના લીધે દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]