આસામને દેશથી અલગ કરવાની વાત કરનારો શરજીલ જહાનાબાદથી ઝડપાયો
JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. Facebook પર તમામ મહત્વના […]
JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે.
બિહારના જહાનાબાદ ખાતેથી શરજીલની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોઈએ એવું કંઈ પણ ના કહેવું જોઈએ જે દેશહિતમાં ના હોય. આ બાબતે સજા કોર્ટે દ્વારા આપવામાં આવશે. પોલીસને શરજીલ જહાનાબાદના પોતાના પિતાના નિવાસ સ્થાને છૂપાયો હોવાની જાણકારી મળી હતી. તે બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો માર્યો હતો. જો કે શરજીલ ત્યાં પણ પોલીસના હાથમાં આવ્યો નહોતો. શરજીલ કાકો વિસ્તારમાં હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને તેને ઝડપી લીધો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
JNUએ શરજીલ પાસે માગ્યો જવાબ આસામને ભારતથી અલગ કરવાના નિવેદન અંગે શરજીલની સામે જેએનયુએ પણ જવાબ માગ્યો છે. શરજીલ જેએનયુના વિદ્યાર્થી છે અને તેના લીધે યુનિવર્સિટી પ્રશાસને શા માટે આવું નિવેદન આપ્યું તે અંગે જવાબ માગ્યો છે. 3 ફેબ્રુઆરી સુધીનો સમય પણ યુનિવર્સિટી પ્રશાસને આ કેસમાં શરજીલને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આસામને ભારતથી અલગ કરવાની ટિપ્પણી શરજીલે કરી હતી. જેનો વીડિયો વાઈરલ થયા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]