PM મોદીનો 70મો જન્મદિવસ: જુઓ વડનગરથી લોક કલ્યાણ માર્ગ સુધીના સંઘર્ષ અને સન્માનની તસવીરો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો. રાજકારણમાં આવતા પહેલા PM નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કર્યું. અહીં તે તેમના સંગઠન કૌશલ્ય અને જમીન સ્તરના કામ માટે જાણીતા હતા. આનાથી તે […]

PM મોદીનો 70મો જન્મદિવસ: જુઓ વડનગરથી લોક કલ્યાણ માર્ગ સુધીના સંઘર્ષ અને સન્માનની તસવીરો
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 9:29 AM

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો.

રાજકારણમાં આવતા પહેલા PM નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કર્યું. અહીં તે તેમના સંગઠન કૌશલ્ય અને જમીન સ્તરના કામ માટે જાણીતા હતા. આનાથી તે પાર્ટીના કાર્યકર્તાઓના પ્રિય બની ગયા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નરેન્દ્ર મોદી 1987માં ભાજપમાં જોડાયા હતા અને તેમને આપવામાં આવેલી પ્રથમ જવાબદારીઓમાં 1987ની અમદાવાદ સ્થાનિક ચૂંટણીના પ્રચારનો સમાવેશ હતો. ઉત્સાહપૂર્ણ પ્રચાર અભિયાનએ આ ચૂંટણીમાં ભાજપની જીત કરાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવનારી મુખ્ય ટીમનો તેઓ ભાગ રહ્યા હત. આ ચૂંટણીના પરિણામે કોંગ્રેસના એક દાયકાના શાસનનો અંત લાવી દીધો હતો.

1995ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી સક્રિય રીતે જોડાયા થયા હતા. આ વખતે ભાજપે પ્રથમ વખત તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરિણામો ઐતિહાસિક હતા પાર્ટીએ 121 બેઠકો જીતી અને ભાજપે સરકાર બનાવી.

વર્ષ 1996માં મોદીએ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે દિલ્હી આવ્યા અને તેમને ઉત્તર ભારતીય રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપાયો.

મોદીને સંગઠનના મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમણે 1998 અને 1999ની લોકસભાની ચૂંટણીમાં મહાસચિવ તરીકેની ભૂમિકા નિભાવી હતી. બંને ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ બન્યો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી.

સંગઠનમાં હતા ત્યારે મોદીએ નવું નેતૃત્વ બનાવ્યું હતું. યુવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ચૂંટણી પ્રચાર માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

તેમની સંગઠનાત્મક કુશળતાના જોરે તેમણે 1987માં રાજ્યમાં ‘ન્યાય યાત્રા’ અને 1989માં ‘લોકશક્તિ યાત્રા’ યોજી હતી. આ પ્રયત્નોને લીધે 1990માં પ્રથમ વખત ટૂંકા ગાળા માટે ગુજરાતમાં ભાજપ સરકારની રચના થઈ અને પછી તે 1995થી આજ સુધી ભાજપ શાસનમાં છે.

2001માં પાર્ટીએ તેમને ગુજરાતના મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી હતી. તેઓ 2002, 2007 અને 2012માં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ દાયકામાં પહેલો પક્ષ બન્યો જેણે પોતાના દમ પર બહુમતી મેળવી.

નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત અને બીજી વાર 30 મે 2019ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">