નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ
બળાત્કાર અને અપહરણના મામલે પોલીસ નિત્યાનંદને શોધી રહી છે જ્યારે તે દેશ છોડીને ભાગી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને તેમાં દલીલ કરવામાં આવી કે નિત્યાનંદની જમાનત રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 2010માં નિત્યાનંદની સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો મામલો નોંધાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
બળાત્કાર અને અપહરણના મામલે પોલીસ નિત્યાનંદને શોધી રહી છે જ્યારે તે દેશ છોડીને ભાગી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને તેમાં દલીલ કરવામાં આવી કે નિત્યાનંદની જમાનત રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 2010માં નિત્યાનંદની સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો મામલો નોંધાયો છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો
જ્યારે હાઈકોર્ટે કર્ણાટક પોલીસને પૂછ્યું કે કથિત ધર્મગુરુ નિત્યાનંદ ક્યાં છે તો તેનો પોલીસે જવાબ આપ્યો કે નિત્યાનંદ હાલ આધ્યાત્મિક પ્રવાસ પર છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં કર્ણાટક પોલીસને નોટિસ ફટકારી છે. કર્ણાટકમાં આ કેસ ડીએસપી બલરાજ સંભાળી રહ્યાં છે. તેઓએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પોલીસના તપાસ અધિકારીએ કોર્ટમાં કહ્યું કે નિત્યાનંદને નોટિસ આપવામાં આવી નથી કારણ કે તે પોતાના બિદાડી આશ્રમમાં હાજર નથી. આ માટે પોલીસ તેની સહયોગી કુમારી અર્ચનાનંદાને નોટિસ આપી રહી છે. આમ કર્ણાટક પોલીસે નિત્યાનંદને આધ્યાત્મિક યાત્રા પર પોલીસ રેકોર્ડમાં દર્શાવી દીધા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]