PM Modi: સંસદ ભવનના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા

જે કામ ચોમાસું સત્રમાં હોબાળાના કારણે નહીં થઈ શક્યું, તે કામનું લિસ્ટ તમામ મંત્રીઓને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું

PM Modi: સંસદ ભવનના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા
Union Cabinet meeting to be held for 3 consecutive days in Parliament House, Prime Minister Narendra Modi to preside (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:15 AM

PM Modi: સંસદ ભવન (Parliament)ના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કરશે. 10થી 12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 વાગ્યે બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમામ મંત્રી પોતાના મંત્રાલયોના તે કામનું લિસ્ટ બનાવી બેઠકમાં સામેલ થશે, જે કામ હાલના સંસદ સત્રમાં થઈ શક્યું નથી. જે કામ ચોમાસું સત્રમાં હોબાળાના કારણે નહીં થઈ શક્યું, તે કામનું લિસ્ટ તમામ મંત્રીઓને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

તમામ મંત્રી પોતાના મંત્રાલયના આગામી 1 વર્ષ સુધી નક્કી કરેલા કામનું લિસ્ટ બનાવીને બેઠકમાં આવશે. એટલે આગામી 1 વર્ષ સુધી મંત્રાલયોના એજન્ડાને લઈ જવું પડશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ન્યાય અને શિક્ષણને લઈ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા. તે સિવાય પણ ઘણા મુદ્દે વાત થઈ છે. મીટિંગ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ કરી આ નિર્ણયો વિશે જણાવ્યું.

ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના માટે મંજૂરી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મહિલાઓ અને છોકરીઓની સાથે જાતીય ગુનાઓ થવા પર ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને દુષ્કર્મના કેસોમાં પીડિતાઓને ઝડપી ન્યાય મળી શકશે. તેમને જણાવ્યું કે દેશમાં લગભગ 1,023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જે નિયમિત ચાલતી રહેશે. તેમાં 389 પોક્સો કોર્ટ છે, જે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી કરે છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 2019માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. આજની મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ 31 માર્ચ 2023 સુધી તેને ચાલુ રાખવામાં આવશે. આ યોજનામાં કુલ ખર્ચ 1572.86 કરોડ રૂપિયા થશે. તેમાં કેન્દ્ર સરકારની ભાગીદારી 971.70 કરોડ રૂપિયા હશે. જ્યારે બાકી 601.16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે.

2.94 લાખ કરોડનું સંયુક્ત શિક્ષણ મંજૂર

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેબિનેટે 2.94 લાખ કરોડ રૂપિયાની સમગ્ર શિક્ષણ-2 યોજનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત શિક્ષણમાં નવીન પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં નાના બાળકો માટે સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. જેમાં 3 વર્ષની ઉંમરથી જ બાળકો રમતા-રમતા શિક્ષણ પણ મેળવશે.

નવી શિક્ષણ નીતિમાં ભણતર અને કમાણી પર જોર

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગળ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ પર ભણતર અને કમાણી પર જોર આપવામાં આવ્યું છે. તેના માટે વોકેશનલ એજ્યુકેશન પર સરકારનું ફોક્સ છે. તેમને જણાવ્યું કે શરૂઆતના 3 વર્ષ એટલે કે ધોરણ 6, 7 અને એક્સોપોજરને વધારવામાં આવશે. ત્યારબાદના 4 વર્ષ એટલે કે ધોરણ 9, 10, 11 અને 12માં સમય અને બજારની જરૂરિયાત મુજબ સ્કીલ ડેવલપ કરવામાં આવશે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ, સોફ્ટવેર કોડિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા વિષયોને સામેલ કરવામાં આવશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">