AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament: જાણો સંસદમાં શુન્ય કાળ અને પ્રશ્ન કાળનું મહત્વ, આ સમયમાં સાંસદો શું કરે છે ?

સાંસદની કાર્યવાહી દરમિયાન શુન્ય કાળ અને પ્રશ્ન કાળ જેવા શબ્દો આપણને સાંભળવા મળે છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે સાંસદની કાર્યવાહી દરમિયાન શુન્ય કાળ અને પ્રશ્ન કાળનું શું મહત્વ છે.

Parliament: જાણો સંસદમાં શુન્ય કાળ અને પ્રશ્ન કાળનું મહત્વ, આ સમયમાં સાંસદો શું કરે છે ?
Parliament: Know the importance of zero Hour and question hour period in Parliament
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 1:13 PM
Share

Parliament: સંસદના(Parliament)બંને ગૃહોમાં કાર્યવાહીની એક પ્રક્રિયા છે અને તેના આધારે જ સાંસદો કામ કરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ શુન્ય કાળ (Zero hour)અને પ્રશ્ન કાળ(Question hour)એ સંસદની કાર્યવાહી દરમિયાન ક્યારે થાય છે અને તેનું કાર્યવાહી દરમિયાન તેનું શું મહત્વ રહેલું છે.

જ્યારે પણ સંસદ કાર્યવાહી હોય છે ત્યારે પ્રશ્ન કાળ અને શુન્ય કાળ જેવા શબ્દો સંભળાય છે. સામાન્ય રીતે સંસદને લગતા સમાચારોમાં પ્રશ્ન કાળ અને શુન્ય કાળનો ઉલ્લેખ થતો હોય છે. જોકે પ્રશ્ન કાળએ નામ ઘણું જાણીતું છે, પરંતુ તે સંસદમાં કયા સમયે થાય છે અને તે અંગેના નિયમો શું છે, તે તમારા માટે જાણવું ખુબ મહત્વનું છે. ત્યારે,આજે અમે તમને જણાવીશું કે સંસદમાં પ્રશ્ન કાળ અને શુન્ય કાળ શું છે અને તેનું સંસદમાં તેનું શું મહત્વ છે.

સંસદના બે ગૃહો છે, એક લોકસભા (Lok Sabha) અને એક રાજ્યસભા(Rajya Sabha) આ બંને ગૃહોમા સાંસદો દેશના કાયદો (Law) અને વ્યવસ્થા અને દેશના લોકોને સંબંધિત કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરે છે. ઉપરાંત,આ ગૃહોમાં કાર્યવાહીની એક પદ્ધતિ પણ છે અને તેના આધારે જ સાંસદો કામ કરે છે. સાંસદ કાળ દરમિયાન કાર્યવાહી માટે સંસદમાં શુન્ય કાળ અને પ્રશ્ન કાળનું વિશેષ મહત્વ છે.

પ્રશ્નકાળ અને તેનું સંસદમાં મહત્વ

રાજ્યસભા અને લોકસભાના ગૃહો ઉપરાંત વિધાનમંડળની(Legislature) પ્રત્યેક કાર્યવાહીમાં પ્રશ્ન કાળ હોય છે.આ સમય દરમિયાન સાંસદો મંત્રીને(Minister) દેશના નાગરિકો સંબધિત પ્રશ્નો કરે છે અને આ માટે અગાઉથી પરવાનગી માગવી જરુરી નથી.

ભારતમાં પ્રશ્નકાળએ ઈંગલેન્ડમાંથી(England) અપનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ 1721માં ઈંગ્લેન્ડમાં પ્રશ્ન કાળ શરૂ કરવામાં આવ્યો હતો. સાંસદમાં સૌથી વધારે પ્રશ્નોતરી આ સમય દરમિયાન થાય છે.અને આ સમય દરમિયાન સાંસદો જે કોઈ પ્રશ્નો પુછે તેને લઈને મંત્રીઓ જવાબ આપવા માટે બંધાયેલા છે. રાજ્યસભા અને લોકસભામાં પ્રશ્નકાળનો સમય જુદો છે. લોકસભાની કાર્યવાહીમાં પહેલી એક કલાકનો (11 થી 12 વાગ્યે) સમય પ્રશ્ન કાળ હોય છે.જ્યારે રાજ્યસભામાં કાર્યવાહીની પ્રથમ કલાક શુન્ય કાળ તરીકે ઓળખાય છે.

શુન્યકાળ અને તેનું સંસદમાં મહત્વ

શુન્યકાળ (Zero Hour)સમયમાં પણ કાર્યવાહી દરમિયાન ફક્ત પ્રશ્નો પૂછવામાં આવે છે. શુન્યકાળ એ પણ પ્રશ્ન કાળ જેમ જ એક કાર્યવાહીનો ભાગ છે. જેમાં સાંસદો વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. અને બંને ગૃહોમાં તેનો સમય અલગ-અલગ છે. લોકસભામાં કાર્યવાહીનો પ્રથમ કલાક એ પ્રશ્નનો સમય છે અને તે પછીનો સમય શુન્યકાળ છે.

જ્યારે, રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શુન્યકાળથી શરૂ થાય છે અને તે પછી પ્રશ્નકાળ આવે છે. શુન્ય કાળ દરમિયાન, સાંસદો નિશ્ચિત શેડ્યુલ વિના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના પર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.લોકસભામાં તે દિવસનો એજન્ડા પૂરો ન થાય ત્યાં સુધી લોકસભામાં શુન્યકાળ સમાપ્ત થતો નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પરિષદ અધિનિયમ 1892 હેઠળ ભારતમાં સંસદમાં પ્રશ્ન પુછવાની શરૂઆત થઈ હતી.આઝાદી પહેલાં ભારતમાં પ્રશ્નો પૂછવાના અધિકાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ આઝાદી પછી તે પ્રતિબંધોને નાબૂદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં સતત બીજા દિવસે પણ હંગામો, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

આ પણ વાંચો: Kalyan Singh Health Update: ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક, મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ

Follow Us
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
g clip-path="url(#clip0_868_265)">