સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જસ્ટિસને સંસદીય લોકશાહીમાં નથી વિશ્વાસ, ‘રામ નહોતા ભગવાન, ગાયને માતા કહેનારાઓના મગજમાં છે ગોબર’ !
પ્રેસ કાઉંસિલ ઑફ ઇંડિયા (PCI)ના પ્રમુખ રહી ચુકેલા અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના આક્રમક નિવેદનો માટે જાણીતા કાટજૂએ દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન માનનવાથી ઇનકાર કરી દીધો. સાથે જ તેમણે ગાયને માતા કહેવા સામે પણ આપત્તિ વ્યક્ત કરી. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
પ્રેસ કાઉંસિલ ઑફ ઇંડિયા (PCI)ના પ્રમુખ રહી ચુકેલા અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
પોતાના આક્રમક નિવેદનો માટે જાણીતા કાટજૂએ દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન માનનવાથી ઇનકાર કરી દીધો. સાથે જ તેમણે ગાયને માતા કહેવા સામે પણ આપત્તિ વ્યક્ત કરી.
માર્કંડેય કાટજૂએ કહ્યું, ‘રામ ભગવાન નહીં, પણ એક સામાન્ય માણસ હતાં.’ ગાયને માતા કહેવા સામે વાંધો ઉઠાવતા કાટજૂએ કહ્યું, ‘ગાય પણ ઘોડા અને કૂતરાની જેમ એક જનાવર છે. એવામાં જે લોકો ગાયને માતા કહે છે, તેમના મગજમાં ગોબર ભરેલું છે.’
કાટજૂએ કહ્યું કે આ બધુ ચૂંટણીમાં વોટ મેળવવા માટે પૉલિટિક્સ કરાઈ રહ્યું છે. રામ મંદિર કોઈ મુદ્દો નથી. હકીકતમાં લોકોનું માત્ર ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. લોકો ભલે ભૂખ્યા મરી જાય, બેરોજગાર રહે, તેને કોઈ મુદ્દો નથી માની રહ્યા અને રામ મંદિરને મુદ્દો બનાવી બેઠા છે.
પૂર્વ જસ્ટિસ રહી ચુકેલા માર્કંડેય કાટજૂએ તો અહીં સુધી કહી નાખ્યું કે તેમને સંસદીય લોકશાહીમાં ભરોસો જ નથી, ભારતના રાજકારણમાં બધા ઠગ છે, તેઓ કોઈને પણ વોટ નહીં આપે.
[yop_poll id=1019]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]