નરેન્દ્ર મોદીની નવી સરકારમાં આ 5 મંત્રાલયમાં માત્ર ભાજપના નેતાઓને સ્થાન મળશે, ગુજરાત માટે છે ઐતિહાસિક દિવસ
30 મેના રોજ PM મોદી ફરી એક વખત શપથ લેવાના છે ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક ઘટના છે. ગુજરાતના કોઈ નેતા કેન્દ્રમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવી ઘટના પહેલી વખત સર્જાઈ રહી છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ તેજ થઈ રહી છે કે મંત્રીમંડળના ચહેરા કોણ છે. અમિત શાહના ઘર પર સવારથી નેતાઓની […]
30 મેના રોજ PM મોદી ફરી એક વખત શપથ લેવાના છે ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક ઘટના છે. ગુજરાતના કોઈ નેતા કેન્દ્રમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવી ઘટના પહેલી વખત સર્જાઈ રહી છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ તેજ થઈ રહી છે કે મંત્રીમંડળના ચહેરા કોણ છે. અમિત શાહના ઘર પર સવારથી નેતાઓની અવર-જવર ચાલુ છે અને સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર દિલ્હીમાં આવી હલચલ જોવા મળવાની છે. મહત્વનું છે કે નવી સરકારમાં કેટલાક ચહેરાઓ જોવા મળશે તો સાથે મહત્વના પદ પર ફેરબદલી થઈ શકે છે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
સંભવીત યાદીમાં જોવામાં આવે તો મહત્વના 5 પદ પર ભાજપના નેતાઓને જ સ્થાન આપવામાં આવશે. જેમાં ગૃહ, નાણાં, રેલ-વે, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયમાંથી કોઈ એક વિભાગમાં અમિત શાહનું નામ સામે આવી શકે તેવી શક્યતા છે. તો બીજી તરફ સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણ અને સુષમા સ્વરાજના વિભાગમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. નવા મંત્રી મંડળમાં અરૂણ જેટલીએ કોઈ વિભાગ લેવાની ના પાડી છે અને બીજી તરફ અમિત શાહની એન્ટ્રીને લઈ સમગ્ર ફેરફાર થવાની શક્યતાઓ સામે આવે છે. રાજ્યની ગણતરીએ જોવામાં આવે તો ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી સૌથી વધુ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજનાથ સિંહ મંત્રીમંડળમાં ફરી સમાવેશ કરવામાં આવશે તેની પૂરી શક્યતાઓ છે. હાલ તેઓ ગૃહ વિભાગ સંભાળી રહ્યા છે. ત્યારે જો ગૃહ વિભાગ અમિત શાહને આપવામાં આવશે તો રાજનાથ સિંહને અન્ય કોઈ વિભાગ ફાળવવામાં આવી શકે છે. અથવા ફરી તેમને ગૃહ વિભાગની જવાબદારી જ સોંપવામાં આવી શકે છે.
પીયૂષ ગોયલનું નામ પણ મંત્રી મંડળમાં સામેલ થાય તેવી પૂરી શક્યતાઓ સામે આવી રહી છે. નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં તેમણે મહત્વની જવાબદારી નિભાવી છે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં બજેટ રજૂ કરવાની જવાબદારી પણ તેમણે ઉઠાવી હતી. અરૂણ જેટલીની ગેરહાજરીમાં પિયૂષ ગોયલને નાણાં મંત્રાલય મળી શકે તેવી શક્યતાઓ સૌથી વધુ જોવા મળે છે.
નીતિન ગડકરીઃ નરેન્દ્ર મોદીની સરકારમાં નીતિન ગડકરીને ફરી પોતાનું સ્થાન મળવાનું છે. ગત સરકારમાં તેમની પાસે માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ વિભાગ હતો. જે સાથે ગંગા સફાઈ વિભાગ પણ તેમની પાસે રહ્યો હતો. નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં નીતિન ગડકરીની કામગીરી ખૂબ વખાણવામાં આવી હતી.
રવિશંકર પ્રસાદ આ વખતે લોકસભાના મેમ્બર સાથે પટના સાહેબ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે. તેમણે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જનારા શત્રુધ્ન સિન્હાને હરાવ્યા છે. જો કે ગત સરકારમાં તેમની પાસે લૉ-મિનિસ્ટ્રી હતી સાથે તેઓ સરકારના પ્રવક્તા પણ રહ્યા હતા.
નિર્મલા સીતારમણ ફરી એક વખત મંત્રી મંડળમાં જોવા મળશે એ વાતની પણ પૂરી શક્યતા છે. ગત સરકારમાં તેઓ સંરક્ષણ પ્રધાન હતા. તેઓ દેશના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા હતા. એક દમદાર નેતાની ઓળખ ધરાવતા સીતારમણ ફરી કોઈ મહત્વના વિભાગમાં નિમણૂક પામી શકે છે.
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવીને અમેઠીથી લોકસભા બેઠક પર પોતાની જીત કાયમ કરી છે. જેને લઈને તેઓને ફરી એક વખત મંત્રી મંડળમાં સ્થાન મળવાની સંભાવના છે. તો પંડીતોનું માનવુ છે કે આ વખતની મોદી સરકારમાં તેમનું કદ પણ વધી જવાનું છે.