Karnataka : પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું સારવાર દરમિયાન નિધન, CM યેદીયુરપ્પાએ શોક વ્યક્ત કર્યો

કર્ણાટકનાં પૂર્વ સાંસદ જી મેડગૌડાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ત્યારે કર્ણાટકનાં પ્રધાનમંત્રી બી.એસ. યેદીયુરપ્પા સહિતના નેતાઓએ પુર્વ સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Karnataka : પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું સારવાર દરમિયાન નિધન, CM યેદીયુરપ્પાએ શોક વ્યક્ત કર્યો
Former MP G Medgauda (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 11:08 AM

કર્ણાટકની (Karnataka) માંડ્યા બેઠકના પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું (G Medgauda) સારવાર દરમિયાન નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ છેલ્લાં ઘણા સમયથી ફેફસાના રોગથી પીડિત હતા.

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ (B.S. Yeddyurappa) પૂર્વ સાંસદના અવસાન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, મેડગૌડાએ હંમેશા ગાંધીજીના (Gandhiji) ઉપદેશોનું પાલન કર્યું હતું અને કાવેરી નદીના (Kaveri River) પાણી માટેના આંદોલનમાં તેઓની મહત્વની ભુમિકા હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ (Former MP) જી મેડગૌડાની શનિવારે તબિયત લથડતા કર્ણાટકના માંડ્યા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી એસ.ડી. દેવગૌડાએ પણ સાંસદના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કાવેરી નદીના આંદોલનમાં હતી મહત્વની ભુમિકા

કાવેરી નદીના પાણીની વહેંચણીને લગતા આંદોલનમાં પૂર્વે સાંસદ જી મેડગૌડાની મહત્વની ભુમિકા હતી. તેઓ કર્ણાટકના માંડ્યા બેઠકના મોટા નેતા હતા અને તેઓ કિરુગાવલ્લુથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ઉપરાંત, વિદ્યાર્થી જીવન દરમિયાન તેમણે આઝાદીની લડતમાં પણ મહત્વનો ભાગ લીધો હતો. પૂર્વ સાંસદ જી મેડગૌડાએ મૈસુરની (Mysore) મહારાજા કોલેજ અને બેંગ્લોરની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

જી મેડગૌડા સૌપ્રથમ 1989 માં માંડ્યા જિલ્લામાંથી (Mandya District) સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1991 માં તેઓ ફરીથી સાંસદની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ઉપરાંત, સાંસદ (Member of Parliament) પહેલા તેઓએ 1980-83 ની વચ્ચે ગુંડુ રાવની સરકારમાં વન વિભાગના (Forest Department) મંત્રાલયનું પદ પણ સંભાળ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે,તમિલનાડુમાં (Tamilnadu)કાવેરી નદીના પાણીના વિવાદ દરમિયાન ગૌડાએ ખેડૂતોના હિતમાં લાંબી લડત લડી હતી અને આ આંદોલન સમયે તેઓ કાવેરી ખેડૂત કલ્યાણ સમિતિના વડા તરીકે પણ કાર્યરત હતા.

આ પણ વાંચો : UttarPradesh : રાજય સરકારે કાવડ યાત્રાને રદ કરી, સતત બીજા વર્ષે યાત્રા રદ

આ પણ વાંચો : Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">