કરફ્યુના આદેશની ઐસીતૈસી કરી જાહેરમાં આતશબાજી કરી જન્મદિવસ ઉજવતા આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

આણંદ નગરપાલિકાના ( Anand municipality ) પૂર્વ પ્રમુખ, વિજય માસ્તરના જન્મદિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં કેક કાપવા અને આતશબાજી કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો

| Updated on: Apr 18, 2021 | 10:15 AM

ગુજરાત સરકારે જાહેર કરેલા રાત્રીના 8થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધીના કરફ્યુની ઐસીતૈસી કરીને આણંદ નગરપાલિકાના ( Anand municipality ) પૂર્વ પ્રમુખે, જાહેરમાં આતશબાજી સાથે જન્મદિવસની ઉજવણી કરી.

આણંદ નદગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મ દિવસ નિમિત્તે, રાત્રે 12 વાગે જાહેરમાં આતશબાજી કરીને કેક કાપવામાં આવી હતી. એક તરફ કોરોના મહામારીએ આણંદ સહીત ગુજરાતમાં ભયાનક ભરડો લીધો છે. આવા સમયે લોકો કોરોનાથી સંક્રમિત ના થાય તે માટે ગુજરાત સરકારે આણંદ સહીત ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાદયો છે. પરંતુ ગુજરાતની ભાજપની સરકારના નિયમોનુ જ પાલન ભાજપના પૂર્વ હોદ્દેદારો નથી કરી રહ્યાં.

આતશબાજી સાથે કેક કાપતા વિજય માસ્તર

આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના અન્ય હોદ્દેદારો પણ સામેલ થયા હતા. જેમાં આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રગ્નેશ પટેલ કે જેઓ ભયલુના હુલામણા નામે ઓળખાય છે તેઓ પણ સરકારી નીતિ નિયમોના ધજાગરા ઉડાડીને જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં સામેલ હતા.

વિજય માસ્તરના જન્મદિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં કેક કાપવા અને આતશબાજી કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો છે. ત્યારે આણંદના કેટલાક નાગરિકો પૂછી રહ્યાં છે કે શુ આ વિડીયોના આધારે ભાજપ સરકાર તેમના પદાધિકારી-હોદ્દેદારો સામે, આણંદ પોલીસને કહીને કોઈ પગલા ભરશે કે પછી બધુ ભીનું સંકેલી લેશે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">