ચોકીદાર યુનિયનની ચૂંટણી પંચને ફરિયાદ, ભાજપ-કોંગ્રેસ પોતાના ફાયદા માટે અમને બદનામ કરી રહી છે
કોંગ્રેસ-ભાજપ પોતાના રાજકીય લાભ માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ કેમ્પેઈનને લઈને સાચા ચોકીદારો નારાજ થઈ ગયા છે અને તેઓએ પોતાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચોકીદાર છે તેવી જાહેરાત કરીને અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. વડાપ્રધાનની પાછળ તેમના પ્રધાનો અને ભાજપના […]
કોંગ્રેસ-ભાજપ પોતાના રાજકીય લાભ માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ કેમ્પેઈનને લઈને સાચા ચોકીદારો નારાજ થઈ ગયા છે અને તેઓએ પોતાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચોકીદાર છે તેવી જાહેરાત કરીને અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. વડાપ્રધાનની પાછળ તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓએ પણ ચોકીદાર નામ લગાડવાનું શરુ કરી દીધું છે.
બીજી બાજુ રાહુલ ગાંધીએ મોદીનો વિરોધ કરવા નારો આપ્યો કે ‘ચોકીદાર ચોર હૈ’. આમ હવે ભાજપ અને કોંગ્રેસની રાજકીય લાલસામાં દેશના સાચા ચોકીદારો નારાજ થઈ ગયા અને પોતાની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે પહોંચી ગયા છે. પંજાબના લાલ ઝંડા પેંડુ ચોકીદાર યુનિયને બુધવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી કે આ બંને પાર્ટીઓ પોતાના અંગત ફાયદા માટે ચોકીદારોને બદનામ કરી રહી છે. આથી બંને પાર્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
પરમજીત સિંહ લીનોએ કહ્યું કે લાખો રુપિયાનો પગાર લઈને મોદી પોતાને ચોકીદાર ગણાવી રહ્યાં છે જ્યારે ખરેખર ચોકીદારોની હાલત તો કફોડી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]