મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ PM મોદીનું ભાજપ કાર્યકરોને સંબોધન
મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો સામે આવી ગયા છે.ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે PM મોદી પહોંચ્યા હતા. PM મોદીએ કાર્યકરોને સંબોધન કરતા સૌ પ્રથમ આભાર માન્યો હતો. અને કહ્યું કે, લોકોએ દિવાળી પહેલા જ આશીર્વાદ આપી દીધા છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપના કાર્યકરો, અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર માનું છું. તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારની કામગીરીને લઈને કહ્યું કે, જનતાએ […]
મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો સામે આવી ગયા છે.ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે PM મોદી પહોંચ્યા હતા. PM મોદીએ કાર્યકરોને સંબોધન કરતા સૌ પ્રથમ આભાર માન્યો હતો. અને કહ્યું કે, લોકોએ દિવાળી પહેલા જ આશીર્વાદ આપી દીધા છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપના કાર્યકરો, અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર માનું છું. તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારની કામગીરીને લઈને કહ્યું કે, જનતાએ ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્રમાં 2014 પહેલા એક પણ મુખ્યમંત્રી 5 વર્ષનો સમય પૂરો રહી શક્યા નહોતા. પરંતુ ભાજપના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો સમયગાળો પૂરો કર્યો છે. જેનું કારણ પણ જનતાનું સમર્થન છે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત એક સાથે અલગ-અલગ રાજ્ય બન્યા હતા. જે બાદ સૌથી વધુ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સત્તા પર રહ્યા હતા. પરંતુ ગઠબંધનની સરકારના કારણે કે અન્ય કારણોસર 5 વર્ષનો સમયગાળો પુરો કરી શક્યા નથી.