AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા

અંકલેશ્વર શહેર કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(JIgnesh Mevani Arrest)ની ધરપકડ સામે નારાજગી વ્યક્ત કરી હતી તો આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા
ધગધગતા તાપમાં પણ રાજકીય પાર્ટીના કાર્યક્રમો યોજાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 2:27 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)નજીક આવતા રાજકીય પાર્ટીઓ પ્રજાની નજીક અને પ્રજાની વચ્ચે રહેવા મહત્તમ પ્રયાસ કરી રહી છે. આજે અંકલેશ્વરમાં ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress) બંને પક્ષ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 42 ડિગ્રી તાપમાનની પરવાહ કાર્ય વગર રાજકીય પાર્ટીના કાર્યકરો કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાયા હતા. અંકલેશ્વર શહેર કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(JIgnesh Mevani Arrest)ની ધરપકડ સામે નારાજગી વ્યક્ત કરી હતી તો આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.બાઈક યાત્રા અંકલેશ્વર(Ankleshwar) શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા.

cong 1

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું

આજરોજ તા.૨૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ અંકલેશ્વર રેલવેસ્ટેશન સ્થિત ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથકોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગાની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ ધરપકડણે ગેરબંધારણીય ગણાવી તેના વિરોધમાં મોટી સંખ્યામાં યુવા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા કૉંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત યાત્રાનું સ્વાગત કરાયું

કોંગ્રેસના વિરોધના સુર વચ્ચે ભાજપ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આજે બાઈક યાત્રા અંકલેશ્વર શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને પાલિકા કારોબારી સમિતિ ચેરમેન સંદીપ પટેલ સહીત મોટી સઁખ્યામા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા 18 માં દિવસે અંકલેશ્વર પ્રવેશ કરતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે બાઈક યાત્રા ભરૂચના ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે આવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા,મુખ્ય નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત જીલ્લાના આગેવાનો દ્વારા યાત્રાના સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું  યાત્રા જ્યોતિ નગર થઈ શહેર કસક,રેલવે સ્ટેશન થઈ પાંચબત્તી થઈ વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ શક્તિનાથ ખાતે પહોંચતા જાહેરસભા યોજાઈ હતી.જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટનું યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

આ પણ વાંચો :  Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">