AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખુલ્લેઆમ કર્યા ભાજપના વખાણ, કોંગ્રેસ દિગ્મુઢ, શું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે હાર્દિક ?

પાટીદાર આંદોલનના હીરો હાર્દિક પટેલનાં (Hardik Patel) રાજકીય સૂર પહેલા બગડ્યા અને હવે બદલાતા જોવા મળી રહ્યા છે. સાથે જ હિન્દુત્વની લહેર વચ્ચે હાર્દિક પટેલે ભાજપનાં (BJP) વખાણ કર્યા, કોંગ્રેસની (Congress) નેતાગીરી અને રાષ્ટ્રીય નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખુલ્લેઆમ કર્યા ભાજપના વખાણ, કોંગ્રેસ દિગ્મુઢ, શું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે હાર્દિક ?
Hardik Patel (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 4:42 PM
Share

એક તરફ કોંગ્રેસના (Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) પહેલા હાર્દિક પટેલ કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે તે પ્રશંસનીય છે.

છેલ્લા થોડા સમયથી મીડિયા સમક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં ચાલતા મતભેદ સહિતના મુદ્દાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે હાર્દિક પટેલે ફરી કોંગ્રેસ પોતાનો પક્ષ મુકતા કહ્યું છે, તેઓ પાર્ટીના કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ હાઈકમાન્ડથી નારાજ છે.. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે જે રીતે ગુજરાત કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે અને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઈ જવામાં વિરોધપક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ અંગેની વાત તેમણે હાઈકમાન્ડને કરી છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં મતભેદ હોવાનો પણ સ્વીકાર કર્યો. હાર્દિક પટેલે કહ્યુ કે, કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ તેને બદલે નિર્ણય શક્તિ ઘટી ગઇ

આ સાથે જ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે ભાજપની પ્રશંસા કરી. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે તે પ્રશંસનીય છે. હાર્દિક પટેલે કહ્યુ, હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું, 370ની કલમ હટાવવી, રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે હાર્દિકે પોતાને હિન્દુવાદી નેતા ગણાવ્યા અને કહ્યુ કે મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય.

બીજી તરફ હાર્દિકે કોંગ્રેસ સાથે નારાજગીની વાત યથાવત રાખતા કહ્યુ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજગી છે. મેં મારી વાત પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મૂકી છે. જો કે હાર્દિક પટેલે ભાજપ સાથે કોઈ વાત ન ચાલતી હોવાનો રાગ આલાપ્યો હતો.

આ પણ વાંચો-Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચો-Mehsana: રશિયા-યુક્રેન યુદ્ધથી ઉદ્યોગોની દશા બેઠી, કેટલાક ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા ઘટી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">