રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

|

Jun 07, 2019 | 7:06 AM

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ જાણે ચારો ખાને ચિત્ત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સંકટ ઉભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નજીકના મંત્રીનું રાજીનામું ફરી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે તો આ નેતા ખુદ જ ગાયબ છે. તો […]

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

Follow us on

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ જાણે ચારો ખાને ચિત્ત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સંકટ ઉભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નજીકના મંત્રીનું રાજીનામું ફરી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે તો આ નેતા ખુદ જ ગાયબ છે. તો બે બીજા મંત્રીએ પણ રાજસ્થાનમાં હારની વાત કહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

TV9 Gujarati

 

આ તમામ ઘટનાઓ વચ્ચે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ, રણદીપ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસને હાર મળ્યા બાદ નેતૃત્વને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રાહુલ ગાંધી એવુ ઈચ્છતા હતા કે, કોઈપણ કોંગ્રેસ નેતા અથવા મુખ્યમંત્રીઓના સંતાનો લોકસભા ચૂંટણી ન લડો. લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના દિકરાઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમા અશોક ગહેલોતના દિકરા ચૂંટણી જીતી શક્યા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સમગ્ર વાત એ છે કે રાહુલ ગાંધી હજુ પણ પોતાનું રાજીનામું આપવાની જીદ પર ઉભા છે. સાથે કહ્યું કે કોંગ્રેસે મારો વિકલ્પ શોધી લેવો જોઈએ. જેને લઈને પ્રિયંકા સહિત અનેક કોંગી નેતાઓ રાહુલની મુલાકાત માટે પહોંચ્યા છે. તો બીજી તરફ રંજનીકાંત અને લાલુ પ્રસાદે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ. ફિલ્મ અભિનેતા રંજનીકાંતે કહ્યું કે રાહુલ ગાંધીએ રાજીનામાના બદલે પોતાની કાર્યક્ષમતાથી સાબિત કરી દેવું જોઈએ.

Published On - 8:11 am, Tue, 28 May 19

Next Article