
તમને જણાવી દઈએ કે, આ એલીફન્ટાની ગુફા મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગેટવે ઓફ ઈન્ડિયાથી અંદાજે 10 કિલોમીટર દુર આવેલી છે,એલિફન્ટામાં કુલ 7 ગુફા છે. જે ભગવાન શિવને સમર્પિત છે.

આ ગુફા 60 હજાર વર્ગ ફીટના વિસ્તારમાં ફેલાયેલી છે. તમને જણાવી દઈએ કે, 7 ગુફાઓમાંથી 5 ગુફાઓ હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે.આ સિવાય 2 ગુફા બૌદ્ધ ધર્મની છે. અહિ મુખ્ય ગુફામાં કુલ 26 સ્તંભ છે.

અહીં જવાનો સમય સવારે 9.30 થી સાંજના 5.30 સુધીનો છે. પ્રથમ ફેરી ગેટવે ઓફ ઈન્ડિયાથી સવારે 9 વાગ્યે નીકળે છે અને એક કલાકમાં પહોંચી જાય છે. છેલ્લી ફેરી બપોરે 2 વાગ્યે ઉપડે છે. પ્રથમ ફેરી બપોરે 12 વાગ્યે અને છેલ્લી સાંજે 5.30 વાગ્યે પરત ફરે છે. એક કલાકની મુસાફરી કર્યા પછી, તમારે અડધા કલાક માટે ટ્રેકિંગ કરવું પડશે. તે મુજબ તમારી સફરની યોજના બનાવો, જેથી તમે છેલ્લી બોટ ચૂકી ન જાઓ.

આઈલેન્ડ પર પહોંચ્યા પછી, તમે કાં તો ચાલી શકો છો અથવા ટોય ટ્રેનમાં બેસી શકો છો. તેનું ભાડું 10 રૂપિયા પ્રતિ રાઈડ છે.તમને જણાવી દઈએ કે, સોમવારના દિવસે જો તમે એલિફન્ટાની ગુફાએ જવાનો પ્લાન બનાવી રહ્યા હોય, તો ન જતા કારણ કે, સોમવારના રોજ એલિફન્ટાની ગુફા બંધ હોય છે.