
સરકાર ભાવ વધારશે પછી તેની અસર 2 થી 3 મહિનામાં દેખાશે. તેનું કારણ એ છે કે બજારમાં 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.

ફાર્મા કંપનીઓ ઘણી વખત નિયત ભાવ વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસમાં ફાર્મા કંપનીઓ નિયમો તોડતી હોવાનું શોધી કાઢ્યું છે.

2013 ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ એનપીપીએ દ્વારા દવાઓની કિંમતો નક્કી કરવામાં આવે છે. કંપનીઓએ નિયત મર્યાદામાં કિંમતો નક્કી કરવાની હોય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3,788 કરોડ રૂપિયાની બચત થઈ હતી.

આ વધારા પછી દર્દીઓ પર તેની કેટલી અસર થશે અને સરકાર આ મુદ્દાને કેવી રીતે સંતુલિત કરે છે તે જોવું રહ્યું.અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારે 2025-2026 ના બજેટમાં બહારથી આયાત થતી દવાની ડ્યુટીમાં રાહત આપી હતી, હવે ઘરેલુ ઉત્પાદિત દવામાં ભાવ વધારો થવાનો છે.