ગજબ! ભારતનું એક એવું રેલ્વે સ્ટેશન કે જેનું કોઈ જ નામ નથી! જાણો ક્યાં નામથી કાપવામાં આવે છે ટિકિટ?
ભારતમાં એવા ઘણા રેલ્વે સ્ટેશનો છે, જે કોઈને કોઈ ખાસ વાતના લીધે પ્રખ્યાત છે. આપણા દેશના દરેક રેલ્વે સ્ટેશનનું પોતાનું નામ અને સ્ટેશન કોડ છે, જે તેની ઓળખ છે.
ભારતીય રેલ્વે (Indian Railway) એશિયામાં બીજુ સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. એટલું જ નહીં, એકલું સરકારી માલિકીની દ્રષ્ટિએ પણ ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે. ભારતમાં રેલ્વે સ્ટેશનોની કુલ સંખ્યા આશરે 8,000 જેટલી છે.
ભારતમાં એવા ઘણા રેલ્વે સ્ટેશનો છે, જે કોઈને કોઈ ખાસ વાતના લીધે પ્રખ્યાત છે. આપણા દેશના દરેક રેલ્વે સ્ટેશનનું પોતાનું નામ અને સ્ટેશન કોડ છે, જે તેની ઓળખ છે. પરંતુ આજે અમે તમને ભારતના આવા અનોખા રેલ્વે સ્ટેશન વિશે જણાવીશું, જેની પોતાની કોઈ જ ઓળખ નથી. આ સ્ટેશનનું નામ નથી.
તમને જાણીને ઘણી નવાઈ લાગશે કે આવું તે વળી કઈ રીતે થઈ શકે? પરંતુ આપને જણાવી દઈએ કે હકીકતમાં આ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળ (West Bengal)માં આવેલું છે. જે સ્ટેશનનું કોઈ જ નામ નથી. આ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના વર્ધમાનથી લગભગ 35 કિલોમીટર દૂર છે.
બાંકુરા-મેસગ્રામ (Bankura-Mesgram) રેલ લાઈન સ્થિત આ સ્ટેશન બે ગામ રૈના અને રૈનાગઢ (Rainagadh)ની વચ્ચે આવે છે. શરૂઆતમાં આ સ્ટેશનને રૈનાગઢના નામથી ઓળખવામાં આવતું હતું. જે વાત રૈના ગામના લોકોને પસંદ ન આવી. કારણ કે આ સ્ટેશનનું બાંધકામ રૈના ગામની જમીન પર કરવામાં આવ્યું હતું.
રૈના ગામના લોકોનું કહેવું હતું કે આ સ્ટેશનનું નામ રૈનાગઢની જગ્યાએ રૈના જ હોવું જોઈએ. આ બાબતને લઈને બંને ગામ વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. સ્ટેશનના નામને લઈને ઝઘડો ચેક રેલ્વે બોર્ડ સુધી પહોંચી ગયો. આ માથાકૂટ બાદ ભારતીય રેલ્વેએ અહિયાં લાગેલા સાઈન બોર્ડ હટાવી દીધા છે. જેને લઈને બહારથી આવતા યાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સ્ટેશનનું પોતાનું કોઈ નામ ન હોવાને કારણે આ સ્ટેશન પણ પોતાની એક અલગ ખાસિયતને લઈને ચર્ચામાં છે. જો કે રેલ્વે વિભાગ આ સ્ટેશન ટિકિટ માટે જૂના નામ રૈનાગઢના નામથી જ ટિકિટ ફાળવે છે.
આ પણ વાંચો: Girsomnath : જિલ્લામાં ઠેરઠેર મેઘમહેર, વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકયો