હવાના પ્રદૂષણના કારણે ગુજરાતમાં થઈ રહી છે હજારો લોકોના મોત!

હવામાં પ્રદૂષણથી માત્ર દિલ્હીના લોકો જ નથી પીડાઈ રહ્યાં. પરંતુ ગુજરાતમાં પણ પ્રદૂષણની પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2017માં ગુજરાતમાં હવાના પ્રદૂષણના કારણે 29,791 લોકોની મોત થઈ હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. બુધવારે જાહેર કરાયેલા Lancet રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં ‘હવાના પ્રદૂષણના કારણે મૃત્યુ, બીમારી અને ઉંમર’ વિષય […]

હવાના પ્રદૂષણના કારણે ગુજરાતમાં થઈ રહી છે હજારો લોકોના મોત!
Follow Us:
| Updated on: Dec 07, 2018 | 12:54 PM

હવામાં પ્રદૂષણથી માત્ર દિલ્હીના લોકો જ નથી પીડાઈ રહ્યાં. પરંતુ ગુજરાતમાં પણ પ્રદૂષણની પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2017માં ગુજરાતમાં હવાના પ્રદૂષણના કારણે 29,791 લોકોની મોત થઈ હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

બુધવારે જાહેર કરાયેલા Lancet રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં ‘હવાના પ્રદૂષણના કારણે મૃત્યુ, બીમારી અને ઉંમર’ વિષય પરના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

(લાન્સેટ રિપોર્ટ એક વિશ્વસનીય જનરલ મેડિકલ જર્નલ છે.)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે હવાના અત્યંત સૂક્ષ્મ કણો-પી.એમ 2.5 સાથે સંપર્કમાં આવતા લોકો બીમાર પણ પડી રહ્યાં છે. જ્યારે કે હવાના આ અત્યંત સૂક્ષ્મ કણોનું વધતું પ્રમાણ વાહનો, ઉદ્યોગો અને થર્મલ પાવર પ્લાન્ટ ચીમનીના કારણે છે.

આ તો થઈ ગુજરાતની વાત, પણ જો સમગ્ર દેશની વાત કરીએ તો, ભારતમાં પ્રદૂષણના કારણે 1 લાખ 20 હજાર જેટલા લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં તંબાકુના કારણે થતું વાયુ પ્રદૂષણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ગયા વર્ષે તંબાકુના કારણે થતાં વાયુ પ્રદૂષણથી બીમાર થતાં લોકો કરતાં આ વર્ષે બીમાર પડેલા લોકોની સંખ્યા વધું છે. ભારતમાં દર આઠમાંથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે.

આ પણ વાંચો: પહેલા પતંજલિ પ્રોડક્ટસ પછી પરિધાન અને હવે ‘પતંજલિ JOBS’! યુવાનોને નોકરીની તક આપવાનો બાબા રામદેવનો માસ્ટર પ્લાન

આ અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે હવાના અત્યંત સૂક્ષ્મ કણો-પીએમ 2.5ના સૌથી વધુ સંપર્કમાં દિલ્હીવાસીઓ આવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ તેમજ હરિયાણાનો નંબર આવે છે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે વર્ષ 2017માં આશરે 12.4 લાખ મોતની પાછળ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. સાથે જ તેમાં વાયુ પ્રદૂષણને દેશમાં થતી મોતની પાછળના સૌથી મોટા કારણોમાંનું એક કારણ ગણવામાં આવ્યું છે.

આ રીસર્ચમાં કહેવાયું છે કે વાયુ પ્રદૂષણના કારણે 18 ટકા લોકોએ સમય પહેલા પોતાનો જીવ ગુમાવ્યો છે અથવા તો બીમાર પડી ગયા છે. જેમાં ભારતનું પ્રમાણ 26 ટકા છે.

ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમા વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ઉંચુ છે.

હવાનું પ્રદૂષણ હવે માત્ર શ્વસનસંબંધી બીમારીઓ માટે જ જવાબદાર નથી પરંતું ફેફસાઓના કેન્સર માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર બની રહ્યું છે. દરેક 1 લાખ લોકોએ 49 લોકોના ફેફસાઓના કેન્સરનું કારણ હવાનું પ્રદૂષણ છે જ્યારે કે 62 લોકોની મોતનું કારણ તંબાકુ છે.

[yop_poll id=152]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">