સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોનો અભાવ, હોસ્પિટલમાં પારાવાર ગંદકીથી દર્દીઓ પરેશાન
સુરેન્દ્રનગરમાં જિલ્લામથકની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ, સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં નિષ્ણાત તબીબોનો અભાવ છે. જેથી દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, આઇ સ્પેશ્યાલિસ્ટ, એમડી તબીબનો અભાવ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડનો પણ અભાવ છે. તો મહાત્મા ગાંધી […]
સુરેન્દ્રનગરમાં જિલ્લામથકની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ, સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં નિષ્ણાત તબીબોનો અભાવ છે. જેથી દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, આઇ સ્પેશ્યાલિસ્ટ, એમડી તબીબનો અભાવ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડનો પણ અભાવ છે. તો મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ માટે પણ કોઇ સુવિધા નથી. આ સાથે હોસ્પિટલમાં લાખોના ખર્ચે વસાયેલા અનેક સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. તો વળી સિવિલ હોસ્પિટલમાં ઠેરઠેર પારવાર ગંદકી પણ જોવા મળે છે. દર્દીઓ હોસ્પિટલમાં સાજા થવાને બદલે ગંદકીને કારણે માંદગીમાં સપડાઇ રહ્યાં છે. જેથી સ્થાનિકો હોસ્પિટલમાં પુરતી સુવિધાઓની માગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃનવી શિક્ષણ નીતિને સરળ રીતે સમજાવતી ફિલ્મ બનાવતા સુરત મ્યુ. શાળાના શિક્ષક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો