Breaking News: શું શત્રુઘ્ન સિન્હા પણ છોડશે TMCનો સાથ ? પક્ષમાં ચાલી રહેલી બગાવત વચ્ચે સાંસદે પોતે જ આપી દીધો ‘મોટો જવાબ’
પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં આ દિવસોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અંદરના આંતરિક મતભેદો અને નેતાઓની નારાજગી હવે ધીમે-ધીમે બહાર આવી રહી છે. એવામાં શત્રુઘ્ન સિન્હાએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સંપૂર્ણપણે તૂટવા લાગી છે. TMCના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો (પાર્ષદો) દરેક વ્યક્તિ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. ખાસ વાત એ છે કે, મમતા બેનર્જીના સૌથી નજીકના ગણાતા નેતાઓએ પણ હવે તેમનો સાથ છોડી દીધો છે.
એવામાં માહિતી સામે આવી રહી છે કે, ટીએમસીના બાગી જૂથના લોકસભા સાંસદ સોમવારે લોકસભા સ્પીકરને મળી રહ્યા છે. પાર્ટીની આ ખરાબ સ્થિતિ વચ્ચે હવે તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મોટું નિવેદન આપ્યું છે. TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીથી અંતર બનાવી લીધું છે. શત્રુઘ્ન સિન્હાએ સાફ-સાફ કહ્યું છે કે, અભિષેક બેનર્જી મારા નેતા નથી, મારા નેતા માત્ર મમતા બેનર્જી છે.
#WATCH | Delhi: TMC MP Shatrughan Sinha says, “I was with Mamata Didi, I am with Mamata Didi and I will always be with Mamata Didi… Neither Abhishek Banerjee nor anyone else is my leader. My leader is only Mamata Banerjee… This was the time to show unity and stand with Mamata… pic.twitter.com/ImL9tMpfuQ
— ANI (@ANI) June 12, 2026
મમતા બેનર્જીની સાથે રહીશ: શત્રુઘ્ન
TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, “હું મમતા દીદીની સાથે હતો, મમતા દીદીની સાથે છું અને હંમેશા મમતા દીદીની સાથે રહીશ. ન તો અભિષેક બેનર્જી કે ન તો અન્ય કોઈ મારા નેતા છે. મારા નેતા માત્ર મમતા બેનર્જી છે. આ એકતા દર્શાવવાનો અને મમતા બેનર્જીની સાથે ઊભા રહેવાનો સમય હતો, આ તેમને છોડવાનો સમય નહોતો. મમતા બેનર્જી એક પરિપક્વ અને અનુભવી નેતા છે.”
‘જો હું એકલો પણ રહીશ, તો…’
TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, “હું કોઈનું નામ નહીં લઉં. હું લગભગ 30 વર્ષ સુધી ભાજપ (BJP) માં રહ્યો છું. પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ નેતાઓએ મને શીખવ્યું અને સમજાવ્યું છે. જો તેમણે મારા વિશે કંઈક કહ્યું પણ હશે, તો સારા ઈરાદાથી જ કહ્યું હશે. જો કે, મારા માટે મમતા બેનર્જીની સાથે રહેવું જ સૌથી શ્રેષ્ઠ છે. હું હંમેશા મમતા બેનર્જીની સાથે રહીશ. જો હું એકલો પણ રહીશ, તો ‘એકલા ચાલો’ નો મંત્ર અપનાવીને તેમની સાથે જ રહીશ. અત્યારે ક્યાંય બીજે જવાનો મારો કોઈ ઈરાદો નથી.”
કલ્યાણ બેનર્જી પણ નારાજ
TMC નેતાઓના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં બગાવતનું સૌથી મોટું કારણ અભિષેક બેનર્જી છે. ધારાસભ્યોથી લઈને સાંસદો સુધીના તમામ લોકો અભિષેક બેનર્જીથી નારાજ થઈને વિદ્રોહ કરી રહ્યા છે. હવે મમતાના સૌથી ખાસ નેતાઓમાંથી એક અને સૌથી નજીકના સાંસદ કલ્યાણ બેનર્જી નારાજ થઈ ગયા છે.
ગુરુવારે કલ્યાણ બેનર્જીએ પણ કહી દીધું હતું કે, મમતા દીદી કાં તો મને પસંદ કરે કાં તો અભિષેકને, આ નિર્ણય તેમના હાથમાં છે. કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપી દીધું છે કે, કાં તો તેઓ પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીને પસંદ કરે અથવા તો તેઓ મને પસંદ કરે.
