Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે
પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમતો માટે ટોક્યો પહોંચેલા 54 પેરા ખેલાડીઓમાંથી 17 એ મેડલ જીત્યા છે. વડાપ્રધાન મોદીએ ગોલ્ડ મેડલ જીતવા પર કૃષ્ણા નાગરને શુભેચ્છા આપતા કહ્યુ હતુ કે, તેમની આ ઉપલબ્ધીએ પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે.
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics) રમતોમાં ભારતીય ખેલાડીઓના, રેકોર્ડ પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી રમત માટે લોકો પ્રોત્સાહિત થશે. ભારત દ્વારા ટોક્યો પેરાલમ્પિક રમતોમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનુ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેનાથી દેશ મેડલ ટેબલમાં 24માં સ્થાન પર રહ્યો છે. જેમાં બેડમિન્ટનના ખેલાડીઓએ ચાર મેડલ મેળવ્યા છે. જેમાં 2 ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ સામેલ છે.
પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ રવિવારે ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે. તે દરેક ભારતીયોની યાદ સાથે જોડાયેલ રહેશે અને ખેલાડીઓ પેઢીઓ સુધી રમતો સાથે જોડાઇ રહેવા માટે પ્રેરિત કરશે. આપણાં જૂથના (ટોક્યો પેરાલિમ્પિક)ના દરક સભ્ય એક ચેમ્પિયન છે. અને પ્રેરણા સ્ત્રોત છે.
પ્રધાનમંત્રીએ આગળ લખ્યું હતુ, ભારત દ્વારા રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતીને અમારા દિલને ખુશીથી ભરપૂર કરી દીધા છે. હું ખેલાડીઓને સતત મદદ માટે તેમના કોચ, સપોર્ટ સ્ટાર્ફ અને પરિવારની સારાહના કરવા ઇચ્છુ છું. અમે રમતમાં અને વધુ ભાગીદારી સુનિશ્વિત કરીને સફળતાઓ મેળવવાની આશાઓ રાખીએ છે.
In the history of Indian sports, the Tokyo #Paralympics will always have a special place. The games will remain etched in the memory of every Indian and will motivate generations of athletes to pursue sports. Every member of our contingent is a champion and source of inspiration.
— Narendra Modi (@narendramodi) September 5, 2021
તેમણે કહ્યું કે આ ઓલમ્પિક દરમ્યાન અસાધરણ સેવા, હર એક વસ્તુ પર બારીકીથી નજર રાખવા અને એકજૂટતા ખૂબ જ જરુરી સંદેશ ફેલાવવા માટે જાપાનના લોકો ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની પ્રશસા કરવી જોઇએ.
પેરાલિમ્પિક રમતો માટે ટોક્યો પહોંચેલા 54 પેરા એથલેટમાંથી 17 એ મેડલ જીત્યા છે. ભારતે પાછળના રિયો ઓલિમ્પિક રમતોમાં ફક્ત 4 જ મેડલ મળ્યા હતા. ભારતે 1972 માં પ્રથમ વખત પેરાલિમ્પિકમાં હિસ્સો લીધો હતો. તેના બાદ થી તે પાછળના તબક્કા સુધી ભારતના ખાતામાં કુલ મળીને 12 જ મેડલ હતા.
કૃષ્ણા નાગર અને સુહાસ યથિરાજને પીએમની શુભેચ્છા
આ પહેલા રવિવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ ગોલ્ડ મેડલ જીતવા પર કૃષ્ણા નાગરને શુભેચ્છા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, તેમની આ ઉપલબ્ધીને પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. મોદીએ ટ્વીટ કર્યુ હતુ, અમારા બેડમિન્ટન ખેલાડીઓના ટોક્યો પેરાલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોઇને ખુશી થઇ રહી છે. કૃષ્ણા નાગરની શાનદાર ઉપલબ્ધી પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લઇને આવી છે. સુવર્ણ ચંદ્રક જીતવા પર તેમને શુભેચ્છા. ભવિષ્યમાટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
પીએમ મોદીએ આઇએએસ અધિકારી સુહાસ યથિરાજને પેરાલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભેચ્છા આપતા રમત અને સેવાનો અદ્ભૂત સંગમ દર્શાવ્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યુ, સેવા અને રમતનો અદભૂત સંગમ. સુહાસ યથિરાજે પોતાની અસાધરણ રમત વડે પૂરા દેશને ખૂશ કરી દીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા પર તેમને શુભેચ્છા આપી હતી. ભવિષ્યની પ્રતિયોગિતાઓ માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.