AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

ભારતીય ટીમ (Team India) વર્તમાનમાં ઓવલ (Oval Test) માં ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યુ છે. ટીમે ઇંગ્લેન્ડ કરતા 171 રનના સરેસાશ સાથે ચોથા દિવસની રમતની શરુઆત કપરી હતી.

IND vs ENG:  મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:00 PM
Share

ભારતીય ટીમ (Team India) હાલમાં ઓવલ મેદાન (Oval Test) પર ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે અને આજે આ મેચનો ચોથો દિવસ છે. આવી સ્થિતિમાં ભારત માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. આ ચાર લોકોમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri), બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ નો સમાવેશ છે. શાસ્ત્રીનો ફ્લોર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથીઆ નિર્ણય લેવામાં આવ્યો છે.

BCCI એ તેના નિવેદનમાં કહ્યું છે કે, “BCCI મેડિકલ ટીમે રવિ શાસ્ત્રી, ભરત અરુણ, આર. શ્રીધર અને નીતિન પટેલને સાવચેતીના ભાગરૂપે અલગ રાખવામાં આવ્યા છે. શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ ગત સાંજે પોઝિટિવ આવ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને આ લોકો ટીમ હોટલમાં રહેશે અને મેડિકલ ટીમની ખાતરી વગર ટીમ સાથે મુસાફરી કરશે નહીં.

બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું છે કે ટીમના બાકીના સભ્યોનો ફ્લો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, બાકીની ટીમ ઇન્ડિયા માટે પણ બે ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક છેલ્લી રાત્રે અને એક સવારે. જે સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને ઓવલ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

મેચમાં ભારત આગળ

મેચની વાત કરીએ તો આ સમયે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પર ભારે દેખાઈ રહી છે. મુલાકાતી ટીમે ત્રીજા દિવસનો અંત ત્રણ વિકેટના નુકસાને 270 રન સાથે કર્યો અને પોતાની લીડ 171 સુધી લંબાવી. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બીજી વિકેટ માટે 153 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 127 રન અને પૂજારાએ 51 રન બનાવ્યા હતા. વિદેશની ધરતી પર રોહિતની આ પ્રથમ ટેસ્ટ સદી છે અને એકંદરે આઠમી ટેસ્ટ સદી છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગમાં 290 રન બનાવ્યા અને ભારત પર 99 રનની લીડ મેળવી. ચોથા દિવસની રમત પર હવે ટીમનો દારોમદાર રહ્યો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ

આ પણ વાંચોઃ Tokyo Paralympics: બાળપણમાં હું વિચારતો હતો કે ભગવાન શું કર્યું છે, નોઇડા DM સુહાસ યથિરાજે

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">