જમ્મુ-કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા, આતંકવાદીઓના ગોળીબારમાં 3 નાગરીકોના મૃત્યુ

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, "શ્રીનગર અને બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા 3 નાગરિકોની હત્યાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ તેમની નાપાક યોજનાઓમાં ક્યારેય સફળ નહીં થાય."

જમ્મુ-કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા, આતંકવાદીઓના ગોળીબારમાં 3 નાગરીકોના મૃત્યુ
Three terror attacks in an hour in Jammu and Kashmir, 3 civilians killed in terrorist firing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:54 PM

Jammu-Kashmir : મંગળવારે જમ્મુ -કાશ્મીરમાં ત્રણ કલાકમાં ત્રણ આતંકી હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ નાગરિકોના મૃત્યુ થયા હતા. આ મામલે જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે સાંજે શ્રીનગર અને બાંદીપોરામાં 3 આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં આતંકવાદીઓએ ત્રણ નાગરિકોના મૃત્યુ થયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. સંબંધિત વિસ્તારોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે અને આ વિસ્તારોમાં સર્ચ ચાલુ છે.

કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓએ શ્રીનગરના ઇકબાલ પાર્ક પાસે બિન્દરૂ મેડિકેટના માલિક માખનલાલ પર ગોળીબાર કર્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ નાગરિકોની હત્યાની સખત નિંદા કરી આતંકવાદીઓએ શ્રીનગર શહેરની હદમાં હવાલ સ્થિત મદીન સાહિબ પાસે ગોળીબાર કર્યો હતો. તેણે શેરીના એક ફેરૈયાને મારી નાખ્યો. શ્રીનગરમાં નાગરિકો પર આ બીજો આતંકવાદી હુમલો છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, “શ્રીનગર અને બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા 3 નાગરિકોની હત્યાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ તેમની નાપાક યોજનાઓમાં ક્યારેય સફળ થશે નહીં ”

આ પહેલા 2 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ કથિત રીતે એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે લગભગ 5.50 વાગ્યે આતંકવાદીઓએ કરણનગરમાં છતાબલ નિવાસી મજીદ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ અહેમદને નજીકની SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Lakhimpur Violence: PAC ગેસ્ટ હાઉસમાંથી પ્રિયંકા ગાંધીનો ઓડિયો સંદેશ- ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું અને તેમના પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરીશું

આ પણ વાંચો : ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">