AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે આ કઠોળ ઉપર કૃષિ સેસમાં કર્યો અડધો ઘટાડો, ખેડુતો અને સામાન્ય લોકો પર થશે સીધી અસર

નાણામંત્રી નિર્મલા સીતારામને રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, દાળ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ નિયમ અમેરિકા સિવાયના દેશોમાં લાગુ થશે.

સરકારે આ કઠોળ ઉપર કૃષિ સેસમાં કર્યો અડધો ઘટાડો, ખેડુતો અને સામાન્ય લોકો પર થશે સીધી અસર
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:24 PM
Share

સરકારે દાળ પરના કૃષિ સેસ ઘટાડ્યા છે. અગાઉ દાળ પરનો કૃષિ સેસ 20 ટકા હતો, જે ઘટાડીને 10 ટકા કરાયો છે. અમેરિકા સિવાય અન્ય દેશોમાંથી એક્સપોર્ટ ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે. દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે.

તાજેતરમાં સરકારે આયાતકારોને કઠોળની સ્ટોક મર્યાદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો. આ સાથે, મિલ્સ, જથ્થાબંધ વેપારીઓ માટે પણ નિયમો હળવા કરવામાં આવ્યાં હતાં. કઠોળના ભાવમાં નરમાઇ અને રાજ્યોના પ્રતિનિધિઓના અભિપ્રાય મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 500 ટન હશે. કોઈપણ પ્રકારની દાળના સ્ટોક માટેની મર્યાદા 200 ટન હશે. 200 ટનથી વધારે સ્ટોક રાખી શકાશે નહી. જ્યારે, મિલો માટેની સ્ટોક મર્યાદા છ મહિનાના ઉત્પાદન અથવા 50 ટકા સ્થાપિત ક્ષમતા, જે પણ વધારે હશે. તે માન્ય ગણવામાં આવશે, છૂટક વેપારીઓ માટે સ્ટોક મર્યાદા પાંચ ટન રહેશે.

શું કર્યું સરકારે ?

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, દાળ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ નિયમ અમેરિકા સિવાયના દેશોમાં લાગુ થશે.

જો યુ.એસ.થી દાળની આયાત કરવામાં આવે તો કસ્ટમ્સ ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં, મસૂર દાળની કિંમત 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા થઈ ગઈ હતી, જેને અટકાવવા સરકારે અનેક પગલા લીધા છે. ભારત દર વર્ષે લગભગ 25 કરોડ ટન કઠોળની આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કઠોળના ભાવમાં થયેલા વધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.

કઠોળના ભાવ ઘટાડવાનો પ્રયાસ

દેશમાં કઠોળના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કૃષિ સેસ અને આયાત ડ્યુટી ઘટાડીવાથી ભાવ ઘટશે અને સામાન્ય લોકોને સસ્તા દરે કઠોળ મળી શકશે. આયાત ડ્યુટી અને કૃષિ સેસ ઘટાડીવાથી વેપારીઓ મોટી માત્રામાં કઠોળની આયાત કરશે અને તેનાથી સપ્લાયમાં વધારો થશે.  તેથી, કઠોળના ભાવમાં ઝડપથી ઘટાડો થશે.

સ્ટોક મર્યાદા અંગે લીધેલા નિર્ણયથી પણ તેની અસર જોવા મળી છે અને કઠોળના ભાવ અગાઉની તુલનામાં નીચે આવ્યા છે. કૃષિ સેસના ઘટાડા પછી, વધુ અસર જોવા મળી શકે છે.

પહેલેથી જ કરવામાં આવી હતી તૈયારી

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સરકારની આંતર-મંત્રાલય બેઠકમાં કૃષિ સેસ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એવા સમાચાર આવી રહ્યા છે કે હાલમાં મૈસુર દાળ પર કૃષિ સેસ 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે. આ સાથે આયાત ડ્યુટી પણ ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, કઠોળની આયાતની મંજૂરીથી લઈને સ્ટોકની મર્યાદાની જાણકારી સહીત, તે નિર્ણયો ભાવ ઘટાડવામાં મોટી મદદ કરી શક્યા નહીં. આ પછી જ સરકારે કૃષિ સેસ ઘટાડવાનો નિર્ણય લીધો.

દાળ, કાબુલી ચણા જેવા કઠોળ પર હાલમાં 10 ટકા ડ્યુટી લાગે છે. આ સિવાય 20 થી 50 ટકા સુધી કૃષિ સેસ વસૂલવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે કઠોળની આયાત ઝડપી બનાવવા માટે સરકારે સેસ ઘટાડવાનો નિર્ણય લીધો જેથી મોટી માત્રામાં કઠોળની આવક વધી શકે અને ભાવને નિયંત્રિત કરી શકાશે.

આ પણ વાંચો :  Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">