Operation Blue Star: ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વર્ષગાંઠ પર અમૃતસરના સુવર્ણ મંદિરમાં લોકોએ ભિંડરાવાલેના પોસ્ટરો સાથે ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા.

Operation Blue Star: ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
Operation Blue Star
| Edited By: | Updated on: Jun 06, 2023 | 4:46 PM

1 જૂન, 1984થી શરૂ એ પણ પંજાબના ઈતિહાસમાં ભાગલા પછીનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. 3 જૂને ભારતીય સેના અમૃતસરમાં પ્રવેશી અને સુવર્ણ મંદિરને ઘેરી લેવામાં આવ્યું. સાંજ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 4 જૂને સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો, જેથી ઉગ્રવાદીઓના હથિયારોનો અંદાજ લગાવી શકાય. સાંજ સુધીમાં ઈન્દિરા ગાંધીએ સૈન્યને સુવર્ણ મંદિર પરિસરમાં પ્રવેશવા અને ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવાનો આદેશ આપ્યો. જે બાદ કેમ્પસમાં ભારે રક્તપાત થયો હતો.

આ પણ વાંચો : Sangrur Bypoll: ઓપરેશન બ્લુસ્ટારના વિરોધમાં નોકરી છોડનારા સિમરનજીત સિંહે સંગરુરમાં સીએમ ભગવંત માનના કિલ્લાના કાંગરા ખેરવી નાખ્યા, જાણો કઈ રીતે

લશ્કરી કમાન્ડર કેએસ બરાડે સ્વીકાર્યું કે ઉગ્રવાદીઓ તરફથી પણ જવાબ મળ્યો હતો. અકાલ તખ્ત સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ગોલ્ડન ટેમ્પલ પર પણ ગોળીઓ છોડવામાં આવી હતી. પ્રથમ વખત એવું બન્યુ કે ત્યાં 6, 7 અને 8 જૂને પાઠ થઈ શક્યા ન હતા. શીખ પુસ્તકાલય સળગાવી દેવામાં આવ્યું હતું.

ભારત સરકારના શ્વેતપત્ર મુજબ, ઓપરેશન બ્લુ સ્ટારમાં 83 સૈનિકો માર્યા ગયા અને 249 ઘાયલ થયા. 493 ઉગ્રવાદીઓ અને નાગરિકો માર્યા ગયા, 86 ઘાયલ થયા અને 1592ની ધરપકડ કરવામાં આવી, પરંતુ આ તમામ આંકડાઓને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે. શીખ સંગઠનોનું કહેવું છે કે માર્યા ગયેલા નિર્દોષ લોકોની સંખ્યા હજારોમાં છે. જો કે ભારત સરકાર તેને નકારી રહી છે. આ કાર્યવાહીથી શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

ઓપરેશન બ્લુ સ્ટાર વિશે જાણવાની સાથે સાથે તે સંજોગો પણ જાણવું જરૂરી છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ. પંજાબમાં હિંસા 1978માં શરૂ થઈ હતી. તે જ સમયે, શીખ ધર્મ પ્રચાર સંસ્થાના વડા જરનૈલ સિંહ ભિંડરાનવાલેનું નામ ચર્ચામાં આવ્યું હતું. 1947માં જન્મેલા જનરૈલ સિંહ ભિંડરાવાલે હંમેશા શીખ ડ્રેસ, બ્રિફ અને લૂઝ કુર્તામાં રહેતા હતા. હથિયારના નામે તેની પાસે સિખ પરંપરા મુજબ સ્ટીલના બનેલા સાબર અને તીર હતા.

પંજાબના વૃદ્ધ શીખો, જેમણે ભિંડરાવાલેને પોતાની આંખોથી જોયો છે, તેમના પહેરવેશનું વર્ણન એવી રીતે કરે છે કે આ છ ફૂટના યુવાનની વાતચીત કરવાની શૈલી ખૂબ જ આકર્ષક હતી. તેની સામે સવાલો પૂછવાની કે જવાબ આપવાની કોઈની હિંમત નહોતી, આટલી જ તેની ધાક હતી. એવું માનવામાં આવે છે કે તેમના સંબોધનમાં એવું સંમોહન હતું કે તેમના શબ્દો શ્રોતાઓના હૃદયમાં ઘર કરી જતા હતા.

હિંસાનો સમયગાળો શરૂ થઈ ચૂક્યો હતો

આ કહાની 1978 થી શરૂ થઈ હતી. બૈસાખી (13 એપ્રિલ)ના રોજ, ભિંડરાનવાલેના સમર્થકોની નિરંકારીઓ સાથે અથડામણ થઈ હતી. ભિંડરાનવાલેના 13 સમર્થકો માર્યા ગયા. આ ઘટનાથી ભિંડરાવાલેનું નામ અચાનક ચર્ચામાં આવ્યું. શીખ શૈક્ષણિક સંસ્થા, દમદમી ટકસાલના 31 વર્ષીય વડા હંમેશા કટ્ટર દૃષ્ટિકોણ ધરાવતા હતા. તેઓ શીખ ધર્મ વિશે અસરકારક રીતે વાત કરતા હતા. તેમના કહેવા પર લોકોએ વાળ અને દાઢી કાપવાનું બંધ કરી દીધું. લોકો સિગારેટ પીવાનું બંધ કરવા લાગ્યા.

1981 પછી, જ્યારે પંજાબમાં હિંસક ગતિવિધિઓ વધવા લાગી, ત્યારે ભિંડરાનવાલે પર હિંસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપો શરૂ થયા. પોલીસે કહ્યું કે તેમની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા નથી. એપ્રિલ 1983માં, પંજાબ પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એએસ અટવાલની હરમંદિર સાહિબ સંકુલમાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આવી ઘટનાઓને કારણે પોલીસનું મનોબળ સતત ઘટી રહ્યું છે. આ પછી પંજાબમાં સ્થિતિ સતત બગડતી ગઈ. 1984માં, ઓપરેશન બ્લુ સ્ટારના ત્રણ મહિના પહેલા, હિંસક ઘટનાઓમાં મૃત્યુઆંક 298 પર પહોંચી ગયો હતો. જો કે, ઓપરેશન બ્લુ સ્ટારની સ્થિતિ 1 જૂનથી જ સર્જાવા લાગી હતી.

ઓપરેશન પર અનેક સવાલો ઉભા થયા છે

ઘણા અગ્રણી શીખ બૌદ્ધિકોએ સવાલ ઉઠાવ્યા કે શા માટે પરિસ્થિતિને એટલી ખરાબ થવા દેવામાં આવી કે આવી કાર્યવાહીની જરૂર હતી? સરકારની આ કાર્યવાહીથી નારાજ ઘણા અગ્રણી શીખોએ કાં તો તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ સન્માન પરત કર્યું હતું. આ પછી, શીખો અને કોંગ્રેસ પક્ષ વચ્ચેનો અણબનાવ ત્યારે ઊંડો થયો જ્યારે બે શીખ સુરક્ષાકર્મીઓએ થોડા મહિનાઓ પછી 31 ઓક્ટોબરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરી.

બાદમાં એવું પણ માનવામાં આવતું હતું કે દેશના લોકો સામે લશ્કરી અભિયાન યોગ્ય નથી. થોડા વર્ષો પહેલા, મનમોહન સિંહની સરકારમાં ગૃહ પ્રધાન ચિદમ્બરમે નક્સલવાદી સમસ્યાનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહીની ઓફર કરી હતી. તત્કાલીન જનરલ વીકે સિંહે આ વાતને નકારી કાઢી હતી, ‘સેના પોતાના લોકો સામે લડતી નથી. તમે એકવાર ભૂલ કરી છે, હવે નહીં થાય.