AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, ‘મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ’

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા બાદ કુંભમેળામાં સંતોના ગુસ્સાનું જાણે તોફાન આવ્યું છે. કુંભમેળામાં અખિલ ભારતીય હિન્દૂ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગદ્ગુરૂ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી મસૂદ એ જ […]

દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, 'મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ'
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:37 AM
Share

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા બાદ કુંભમેળામાં સંતોના ગુસ્સાનું જાણે તોફાન આવ્યું છે.

આતંકવાદી મસૂદ અઝહર

કુંભમેળામાં અખિલ ભારતીય હિન્દૂ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગદ્ગુરૂ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી મસૂદ એ જ આતંકવાદી સંગઠનનો વડો છે જેણે આપણા દેશમાં ગુરૂવારે આત્મઘાતી હુમલો કરાવ્યો છે.

તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સરકારે આ ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને છોડ્યો હતો ત્યારે દેશના લોકો અને મીડિયાએ દબાણ બનાવ્યું હતું. જેના પરિણામ આપણા દેશના જવાનો પોતાની કુરબાની આપીને ચૂકવી રહ્યાં છે.

પંચાનંદ ગિરિએ વધુમાં જણાવ્યું,

“આપણે મજબૂત બનવું પડશે, રાષ્ટ્રને મજબૂત બનવું પડશે ત્યારે જ મસૂદ જેવા આતંકીને મારી શકાશે. જે કોઈ વ્યક્તિ આતંકવાદી મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરી દેશે તેને મારા તરફથી 5 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ.”

કુંભમેળામાં શહીદો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કર્યા બાદ સ્વામી દેવતીર્થે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિજનોને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપવાની માગ કરી છે.

સાથે જ સંતોએ એમ પણ કહ્યું છે કે દેશની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે આ અંગે કોઈ રાજકારણ ન થવું જોઈએ. તમામ રાજનેતિક દળો એકસાથે ઉભા રહે અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડે.

[yop_poll id=1475]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">