AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: સીએમના શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય જનતા પણ ભાગ લેશે, માને કહ્યું- સાથે મળીને ભગત સિંહના સપના સાકાર કરીશું

117 સભ્યોની પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. જ્યારે માન ધુરી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દલવીર સિંહ ગોલ્ડીને 58,206 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

Punjab: સીએમના શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય જનતા પણ ભાગ લેશે, માને કહ્યું- સાથે મળીને ભગત સિંહના સપના સાકાર કરીશું
Bhagwant Mann - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 4:40 PM
Share

પંજાબના (Punjab) ભાવિ મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) 16 માર્ચે યોજાનારી શપથવિધિ માટે રાજ્યના લોકોને આમંત્રણ આપ્યું છે. લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા માટે અપીલ કરતી વખતે, માન એ પુરુષોને ખાસ ડિઝાઇન કરેલી ‘બસંતી’ (પીળી) પાઘડી પહેરવા અને મહિલાઓને તે દિવસે પીળા ‘દુપટ્ટા’ (શાલ) પહેરવા વિનંતી કરી. શપથ ગ્રહણ સમારોહ નવાશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાંમાં યોજાશે. 48 વર્ષીય માન, લોકોને એ પંજાબ બનાવવા માટે પણ વિનંતી કરી હતી જેનું સપનું ભગત સિંહે જોયું હતું.

પંજાબના ચૂંટાયેલા મુખ્યમંત્રીએ સોમવારે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા કહ્યું, માત્ર હું જ નહીં, પંજાબના ત્રણ કરોડ લોકો પણ મારી સાથે શપથ લેશે. આપણે સાથે મળીને ભગતસિંહના સપનાને સાકાર કરવાના છે અને 16 માર્ચે તેમના વિચારને અમલમાં મુકીશું. આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું, હું એકલો મુખ્યમંત્રી નથી બન્યો. તમે બધા મુખ્યમંત્રી બની ગયા છો. હવે તમારી પોતાની સરકાર હશે.

ખટકર કલાંને ‘બસંતી’ રંગમાં બદલીશું – માન

વીડિયોમાં રાજ્યના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે, હું મારા ભાઈઓ અને મિત્રોને બસંતી રંગની પાઘડી પહેરવા અને બહેનોને તે દિવસે બસંતી રંગના દુપટ્ટા પહેરવાની વિનંતી કરું છું. અમે તે દિવસે ખટકર કલાંને ‘બસંતી’ રંગમાં બદલીશું. માન સંગરુર લોકસભા મતવિસ્તારથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.

માનને ટ્વીટ કર્યું કે, હું આજે દિલ્હી જઈ રહ્યો છું અને સંગરુરના સાંસદ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. સંગરુરના લોકોએ મને આટલા વર્ષોથી ઘણો પ્રેમ આપ્યો છે. આ માટે ઘણા આભાર. હવે મને આખા પંજાબની સેવા કરવાનો મોકો મળ્યો છે. હું સંગરુરના લોકોને વચન આપું છું કે થોડા મહિનામાં તેમનો અવાજ લોકસભામાં ફરીથી ગુંજશે.

16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે

ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. જ્યારે માન ધુરી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દલવીર સિંહ ગોલ્ડીને 58,206 મતોના માર્જિનથી હરાવ્યા હતા. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને માન એ મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે રવિવારે અમૃતસરમાં રોડ-શો યોજ્યો હતો.

આ પણ વાંચો : The Kashmir Filesને કરમુક્ત બનાવીને ભાજપ કરી રહ્યું છે સપોર્ટ, ક્યાંક કોંગ્રેસના ગળાનો કાંટો ન બની જાય આ ફિલ્મ

આ પણ વાંચો : Budget Session 2022: રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી જયશંકર મંગળવારે સંસદમાં આપશે નિવેદન

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">