PM નરેન્દ્ર મોદી આજે ઉદ્યોગપતિઓ સાથે યોજશે બેઠક, બજેટ સહીતના મુદ્દે થશે ચર્ચા

|

Jan 18, 2022 | 5:46 PM

વડાપ્રધાન મોદી સોમવારે ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં બજેટને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી આજે ઉદ્યોગપતિઓ સાથે યોજશે બેઠક, બજેટ સહીતના મુદ્દે થશે ચર્ચા
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 20મી ડિસેમ્બરે, ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે મહત્વની બેઠક કરવાના છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં આગામી બજેટ (બજેટ 2022-2023) સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ કોરોનાના ઓમિક્રોનથી ઉભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે દેશની તમામ બેંકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકાર અને આરબીઆઈએ બેંકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણા મોટા પગલા લીધા છે.

બજેટ પહેલા બેઠકોનો રાઉન્ડ 
દેશના મોટા ઉદ્યોગપતિઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ બેઠકમાં બજેટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં ઓમિક્રોનની સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ વર્ષનું સામાન્ય બજેટ ક્યારે રજૂ થશે?
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરે છે. આ વર્ષે પણ, નાણાંકીય વર્ષ 2022-2023નુ સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની ધારણા છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે તેમનું ચોથું બજેટ રજૂ કરશે. આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કોરોના રોગચાળાના નવા પ્રકાર, ઓમિક્રોને ફરીથી વિશ્વને હચમચાવી દીધું છે. આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાનું પૈડું કેવી રીતે ઝડપથી ફરશે? આ સૌથી મોટો પ્રશ્ન છે.

બજેટ બનાવતી ટીમને જાણો
ટીવી સોમનાથન – નાણા મંત્રાલયના પાંચ સચિવોમાંથી સૌથી વરિષ્ઠને નાણાં સચિવ બનાવવામાં આવે છે. હાલમાં ખર્ચ સચિવ ટીવી સોમનાથન પાસે આ જવાબદારી છે.

અર્થશાસ્ત્રમાં પીએચડી, સોમનાથન 1987 બેચના તમિલનાડુ કેડરના અધિકારી છે. તેમણે એપ્રિલ 2015થી ઓગસ્ટ 2017 સુધી વડાપ્રધાન કાર્યાલયમાં કામ કર્યું અને પીએમ મોદીની નજીક માનવામાં આવે છે. PMO તરફથી બજેટ અંગેના મોટાભાગના સૂચનો સોમનાથન અને આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ દ્વારા આવે છે તેમ માનવામાં આવે છે. આવનારું બજેટ ચોક્કસપણે સૌથી મોટું હશે, ખાસ કરીને મૂડી ખર્ચની દ્રષ્ટિએ અને તે સોમનાથન માટે નક્કી કરવાનું રહેશે કે નાણાં ખર્ચવામાં આવશે કે નહીં.

તરુણ બજાજ – ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ અને હવે મહેસૂલ સચિવ તરુણ બજાજે પણ પાંચ વર્ષ સુધી પીએમઓમાં કામ કર્યું અને એપ્રિલ 2020 માં નોર્થ બ્લોકમાં ગયા. તેમણે ત્રણ ‘આત્મનિર્ભર ભારત’ દ્વારા રાહતના પગલાંને દેશભરમાં આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બજાજ 1988 બેચના હરિયાણા કેડરના અધિકારી છે. સોમનાથનની જેમ તેઓ પણ સુધારાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

તુહિન કાંત પાંડે- આ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગમાં સચિવ છે. તેઓ પંજાબ કેડરના 1987 બેચના અધિકારી છે. કેન્દ્ર સરકારની ખાનગીકરણની યોજનાને આગળ ધપાવ્યા બાદ હવે આવા કામોમાં મહત્વની ભૂમિકા ભજવવી પડી રહી છે.

અજય સેઠ – નાણામંત્રીના સૌથી નવા સભ્ય હોવા છતાં, તમામની નજર આર્થિક બાબતોના સચિવ અજય સેઠ પર રહેશે કારણ કે DEA મૂડી બજારો, રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી નીતિઓ માટે નોડલ વિભાગ છે. અજય સેઠ કર્ણાટક કેડરના 1987 બેચના IAS અધિકારી છે.

દેવાશીષ પાંડા- જેઓ મીડિયાથી દૂર છે, તે ઉત્તર પ્રદેશ કેડરના 1987 બેચના IAS અધિકારી છે, જે નાણાકીય સેવાઓ વિભાગના વડા છે. રિકેપિટલાઇઝેશનની યોજનાઓ સાથે, નાણાકીય ક્ષેત્રને લગતી તમામ જાહેરાત સંદર્ભે તેમની જવાબદારી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Panama Papers: ઈડી સમક્ષ હાજર થઈ ઐશ્વયા રાય બચ્ચન, જાણો શુ છે પનામા પેપર્સ કેસ ?

 

 

Published On - 3:26 pm, Mon, 20 December 21

Next Article