લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો, જુઓ વીડિયો

વેલમાં નેતાઓ હંગામો કરી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેલમાં નારેબાજી કરી રહેલા સાંસદોને પાણીનો ગ્લાસ આપ્યો હતો. એક સાંસદે આ પાણીનો ગ્લાસ લઈ લીધો અને પાણી પણ પી ગયા હતા.

લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 03, 2024 | 4:44 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં બોલી રહ્યા હતા. ત્યારે વિપક્ષી સાંસદો હોબાળો કરી રહ્યા હતા. આ વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોદી સાંસદોને પાણીનો ગ્લાસ આપી રહ્યા છે.રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલવાનું શરુ કરતા જ વિપક્ષી દળોએ સાંસદમાં હંગામો શરુ કર્યો હતો. લોકસભા સ્પીકર વારંવાર ના પાડવા જતા વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા હતા. આ હંગામો થોડા સમય માટે ન હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી બોલવાનું શરુ કર્યું ત્યારથી લઈ બોલવાનું બંધ ન કર્યું ત્યાં સુધી હંગામો ચાલુ હતો.

વિપક્ષી સાંસદોને પાણીનો ગ્લાસ ઓફર કર્યો

આ હંગામા વચ્ચે એવું થયું કે, જેની ચર્ચા માત્ર સદનમાં જ નહિ પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ થઈ રહી છે.પીએમ મોદીએ પોતાના ભાષણ વચ્ચે વિપક્ષી સાંસદોને પાણીનો ગ્લાસ ઓફર કર્યો હતો. જેઓ સરકાર વિરુદ્ધ નારા લગાવી તેના ભાષણ વચ્ચે હંગામો કરી રહ્યા હતા. એક વિપક્ષી સાંસદે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પાણીના ગ્લાસને પણ પકડી લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક્શન સોશિયલ મીડિયા પર એક ટ્રેંડિંગ ટોપિક બની ગયો છે.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયો પર સૌ લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જ્યારે વિપક્ષના સાંસદો વેલમાં હતા અને તેમને રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ તેમને પાણીની ઓફર કરી હતી. આને કહેવાય તમારી પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો.

ભારતની પ્રગતિને પડકારના રુપમાં જુએ છે

પીએમ મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત આગળ વધી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે, પ્રતિસ્પર્ધા પણ વધી રહી છે અને પડકારો પણ વધી રહ્યા છે. જેમને ભારતની પ્રગતિથી મુશ્કેલી છે. જે ભારતની પ્રગતિને પડકારના રુપમાં જુએ છે.તેઓ પણ ખોટી રણનીતિ અપનાવી રહ્યા છે. આ તાકાત ભારતની લોકશાહી, વસ્તી અને વિવિધતા પર હુમલો કરી રહી છે. અને આ ચિંતા માત્ર મારી નથી, આ ચિંતા છે, આ ચિંતા માત્ર સરકારની નથી, દેશની જનતા અને માનનીય સુપ્રીમ કોર્ટ સુધી સૌઈ આ વાતથી ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે હું સદન સામે રાખવા માંગુ છું.

Latest News Updates

અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">