AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G-7 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી કેનેડા જશે, કહ્યું- નવા ઉત્સાહથી કામ કરીશું

જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે ઘણા મુદ્દાઓ પર સંબંધો બગડ્યા હતા. જો કે, પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે. આ સમિટ 15 થી 17 જૂન દરમિયાન યોજાવાની છે.

G-7 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી કેનેડા જશે, કહ્યું- નવા ઉત્સાહથી કામ કરીશું
| Updated on: Jun 06, 2025 | 9:10 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ મહિનાના અંતમાં કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં હાજરી આપશે અને તેઓ તેમના નવા ચૂંટાયેલા કેનેડિયન પીએમ માર્ક કાર્નીને મળશે.

જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણા મુદ્દાઓ પર બગડ્યા હતા. હવે એવામાં પીએમ મોદી કેનેડા પહોંચી શકે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માંગશે તેમજ એક નવી શરૂઆત કરવા માંગશે . જણાવી દઈએ કે, પીએમ માર્ક કાર્ની અને પીએમ મોદી જો મળશે તો ઘણા નવા પરિમાણો બહાર આવી શકે છે.

નવા જોશથી કામ કરવા તૈયાર

પીએમ મોદીએ ‘X’ પર હતું કે, ભારત અને કેનેડા બંને દેશો લોકો વચ્ચે ઊંડા સંબંધો ધરાવતા જીવંત લોકશાહી રાષ્ટ્રો છે. હવે બંને દેશો પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે નવા જોશથી સાથે મળીને કામ કરશે. અમે સમિટમાં મળવા માટે ઉત્સુક છીએ.

પીએમ મોદીએ તાજેતરની ચૂંટણીઓમાં કાર્નેની જીત પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના પહેલા જસ્ટિન ટ્રુડોની સરકાર દરમિયાન ખાલિસ્તાની અલગતાવાદીઓની પ્રવૃત્તિ સહિત અનેક મુદ્દાઓને કારણે ભારત-કેનેડા સંબંધો થોડા ઠંડા પડ્યા હતા.

2025 G-7 નેતાઓની સમિટ 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કીસમાં યોજાશે. ગયા મહિને વિદેશ મંત્રાલયે બે વખત કહ્યું હતું કે, G7 સમિટ માટે વડાપ્રધાન મોદીની કેનેડા મુલાકાત વિશે કોઈ માહિતી આવી નથી.

કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નરેન્દ્ર મોદી સરકાર પર આ ઘટનામાં સંડોવણીનો આરોપ લગાવ્યો ત્યારે આ મામલો વિશ્વ મંચ પર ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, ભારતે ટ્રુડોના આરોપોને નકારી કાઢ્યા હતા.

G-7 શું છે?

‘G-7’એ વિશ્વની સૌથી વધુ ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનો એક અનૌપચારિક સમૂહ છે. જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુનાઇટેડ કિંગડમ, જાપાન, યુએસએ અને કેનેડાનો સમાવેશ થાય છે. આ સિવાય યુરોપિયન યુનિયન (EU), IMF, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.

કેનેડા જેવા દેશમાં લોકો સારા એજ્યુકેશન અને જોબ માટે જતા હોય છે ત્યારે કેનેડાએ હવે ત્યાં PR માટે નવા 2 ઈમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યા છે ત્યારે આ સિવાય અન્ય માહિતી જાણવા અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">