આ વખતે PM મોદીનો જન્મદિવસ હશે ખૂબ જ ખાસ, આ ત્રણ શહેરોની લેશે મુલાકાત

આ વખતે પીએમ મોદીનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. PM મોદી 17 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી પોતાના જન્મદિવસે દેશના ત્રણ શહેરોની મુલાકાત લેશે. પહેલા તેઓ બનારસ, પછી ભુવનેશ્વર અને સાંજે નાગપુર જશે. ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે.

આ વખતે PM મોદીનો જન્મદિવસ હશે ખૂબ જ ખાસ, આ ત્રણ શહેરોની લેશે મુલાકાત
Follow Us:
| Updated on: Sep 10, 2024 | 9:52 PM

ભાજપ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની મોટા પાયે ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે. PM મોદી 17 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાના જન્મદિવસ પર દેશના ત્રણ શહેરોની મુલાકાત લેશે.

મળતી માહિતી મુજબ PM મોદી પોતાના જન્મદિવસની સવારે મોદી પહેલા બનારસ, પછી ભુવનેશ્વર અને પછી સાંજે નાગપુર જશે.

ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે

મોદી ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, 21 થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દરેક મહિલાને કુલ 50,000 રૂપિયા મળશે. દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 10,000 રૂપિયાની રકમ બે હપ્તામાં આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી લગભગ 1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે. તમને જણાવી દઈએ કે ઓડિશામાં જીત બાદ ભાજપ સરકાર સુભદ્રા યોજના દ્વારા સમાજની ગરીબ મહિલાઓના સશક્તિકરણ માટે આર્થિક મદદ કરી રહી છે.

પેરાલિમ્પિક રમતવીરોનું સન્માન કરવામાં આવશે

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમ મોદીના જન્મદિવસને “સેવા પખવાડા” તરીકે ઉજવવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહે આ અંગે સંગઠનના તમામ જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે.

15 દિવસનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે

આ દરમિયાન પેરાલિમ્પિક ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. શાળાઓ અને હોસ્પિટલોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. PM મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ પર 15 દિવસનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે અને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે.

આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
g clip-path="url(#clip0_868_265)">