પાકિસ્તાનની સેનાના વડા મુનીરે કુરાન પઢી શરૂ કર્યુ ઓપરેશન, નામ રાખ્યુ ‘બુનયાન ઉલ મરસૂસ’ જાણો શું થાય છે તેનો અર્થ
પાકિસ્તાનની સેનાના વડા જનરલ મુનીર આસીમે ફઝ્રની નમાઝ ( સવારની પહેલી નમાઝ) પઢ્યા બાદ કુરાનની કઈ આયાત વાંચી. હાફિસ સઈદના આતંકીના જનાજામં સામેલ થયા હતા લશ્કરનો સર્વોચ્ચ વડો જનરલ અસીમ મુનીર જે બાદ ભારતના ઓપરેશન સિંદૂર સામે બુનયાન ઉલ મરસૂસનું એલાન કર્યુ હતુ. જાણો શું થાય છે તેનો અર્થ.

પાકિસ્તાનના ઓપરેશન સિંદૂરથી બઘવાયેલા પાકિસ્તાને સત્તાવાર રીતે ઓપરેશન બુનયાન અલ મરસૂસ (Operation Bunyan Ul Marsoos) શરૂ કર્યુ. આ ઓપરેશન અંતર્ગત તે ભારતના રહેણંક વિસ્તારોમાં સતત હુમલા કરી રહ્યુ છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાને તેના આ ઓપરેશનનું નામ ઓપરેશન બુનયાન અલ મરસુસ રાખ્યુ છે. જેનો મતલબ કાચ જેવી દીવાલ એટલે એક એવી દીવાલ જે બહુ મજબૂત સાથે રક્ષા કરે છે. આ નામ સાથે પાકિસ્તાન ખુદને દુનિયા સમક્ષ મજબુત સાબિત કરવા માગે છે.
આ ઓપરેશનને નામ દેતા પાકિસ્તાને શનિવારે વહેલી સવારે ભારત પર ફતેહ-1 મિસાઈલ સહિત ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. રેડિયો પાકિસ્તાન અનુસાર પાકિસ્તાને ઓપરેશન બુનયાન અલ મરસુસ શરૂ કર્યુ છે. જે નામ કુરાનની એક આયાત પરથી લેવામાં આવ્યુ છે. તેનો મતલબ થાય છે કાચ જેવી મજબુત દિવાલ- આ ઓપરેશન અંતર્ગત ભારતના અનેક શહેરો પર હુમલા કરવામાં આવ્યા પરંતુ ભારતે પાકિસ્તાનના આ ઓપરેશનને શરૂઆતમાં જ પસ્ત કરી દીધુ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીનું કહેવુ છે કે ભારતે તેના ત્રણ સૈન્ય અડ્ડા પર હુમલો કર્યો. જેના જવાબમાં ભારતે પંજાબના શીખ વિસ્તારોમાં 6 બેલાસ્ટિક મિસાઈલ છોડી. તેમણે કહ્યુ કે ભારતે જે શરૂ કર્યુ કે અમારી સેના તેને સમાપ્ત કરવાની તૈયારી કરી રહી છે.
પાકિસ્તાની સેનાનો દાવો છે કે ભારતના અન્ય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા શરૂ છે. પાકિસ્તાની સેનાએ જુઠાણુ ફેલાવ્યુ કે ભારતે તેમના દરેક ઠેકાણાઓ, જ્યાં પાકિસ્તાની નાગરિકો અને મસ્જિદો પર હુમલા કર્યા હતા. તેમને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો કે ભારતે પાકિસ્તાનના આ દાવાને વિદેશ મંત્રાલયે ફગાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે ભારતે પાકિસ્તાનની એકપણ મસ્જિદ પર કે રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા જ નથી. આજ સુધીના એકપણ હુમલામાં ભારતે નાગરિકોને ક્યારેય નિશાન બનાવ્યા નથી.
છેલ્લા બે દિવસથી પાકિસ્તાન સતત પીઓકે અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનો ભંગ કર્યો. પાકિસ્તાને પુરી રાત લગભગ ભારતના 30 થી વધુ વિસ્તારોમાં ડ્રોનથી હુમલા કર્યા. જેને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા તમામ હુમલાઓને નિષ્ક્રીય કર્યા. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે નેશનલ કમાંડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી. આ કમિટી પરમાણુ હથિયારોના ઉપયોગ પર નિર્ણય લે છે.