લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે ઉઠાવ્યો NEET પેપર લીકનો મુદ્દો, લોકસભા સોમવાર સુધી સ્થગિત

આજે NEET પેપર લીક મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સંસદના બન્ને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ, સંસદના નિયમ 267 હેઠળ નીટ પેપર લીક પર ચર્ચાની માંગ કરી હતી.

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે ઉઠાવ્યો NEET પેપર લીકનો મુદ્દો, લોકસભા સોમવાર સુધી સ્થગિત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 1:43 PM

18મી લોકસભાના પ્રથમ સત્રના આજે 5માં દિવસે નીટ પેપર લીકના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આજે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા થવાની હતી, પરંતુ તે પહેલા વિરોધ પક્ષોએ સંસદના નિયમ 267 હેઠળ નીટ મામલે ચર્ચાની માંગ કરી હતી. વિરોધ પક્ષોમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ આ માંગ ઉઠાવી હતી. પરંતુ તેના જવાબમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા ઉભા થયા હતા. આ પછી તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દે કાર્યવાહી કરી રહી છે. આ સાથે તેમણે વિપક્ષી પાર્ટીઓ પાસે ગૃહને સુચારૂ રીતે ચાલવા દેવાની માંગ કરી હતી.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ સરકારનો બચાવ કરતા કહ્યું કે નીટ પેપર લીક એ એક એવો મામલો છે જેની સાથે લાખો વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે પહેલાથી જ કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિમાં ગૃહની અંદર આવો હંગામો મચાવવાનું વ્યાજબી નથી.

કોઈ એક વ્યક્તિની જવાબદારી નહીં

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ બે-ત્રણ રાજ્યોમાં ચાલી રહી છે. ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મોટા ભાગના લોકોની પૂછપરછ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આપણે દરેકે ધીરજ રાખવી જોઈએ અને તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હા, હું પણ સહમત છું કે ગેરરીતિઓ થઈ છે પરંતુ દેશમાં હજારો પરીક્ષાઓ લેવામાં આવે છે. શું આમાં કોઈ એક વ્યક્તિની જવાબદારી નક્કી કરી શકાય ?

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

લોકસભામાં શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન વિપક્ષે નીટ મુદ્દે ચર્ચાને લઈને મચાવેલા હોબાળાને કારણે, આગામી સોમવાર સુધી ગૃહને મુલતવી રાખવામાં આવ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વિપક્ષના સાંસદો સાથે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આગ્રહ સેવ્યો હતો કે રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર પહેલા ચર્ચા કરવામાં આવે. પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નીટ મુદ્દે ચર્ચા કરવા માંગીએ છીએ, જેથી ભારતના ભવિષ્યના તબીબ એવા વિદ્યાર્થીઓને સંદેશ આપવા માંગીએ છીએ કે, અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો ગણવામાં આવી રહ્યો છે.

બાદમાં, ગૃહમાં ભારે હોબાળાને કારણે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, લોકસભાની કાર્યવાહી આગામી 1 જુલાઈને સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">