AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો

ભારતીય સેના દ્વારા ઓપરેશન પિમ્પલના ભાગ રૂપે, સેના અને સુરક્ષા દળોએ કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટ અને ડ્રગ્સઓ મળી આવ્યા હતા. વધુમાં, આતંકવાદીઓ પાસેથી ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર અંગે આસીમ મુનીર અને પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે.

મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો
Image Credit source: Firdous Nazir/NurPhoto via Getty Images
| Updated on: Nov 08, 2025 | 6:41 PM
Share

કુપવાડામાં સેનાએ ઠાર કરેલા બે આતંકીની તપાસમાં મોટો પર્દાફાશ

ભારતીય સેનાએ “ઓપરેશન પિમ્પલ” અંતર્ગત જમ્મુ-કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં મોટી સફળતા હાંસલ કરી છે. આ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટો અને ડ્રગ્સ મળી આવ્યા હતા, જ્યારે ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરાયા હતા. આ ઘટનાએ ફરી સાબિત કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાન અને તેના સૈન્ય પ્રમુખ અસીમ મુનીરના નાપાક પ્રયાસો હજી યથાવત છે.

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાએ ઓપરેશન પિમ્પલ હેઠળ, એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા, જેનાથી પાકિસ્તાની આતંકવાદી નેટવર્કના નવા કાવતરાનો પર્દાફાશ થયો. એન્કાઉન્ટર સ્થળેથી મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો, જે સ્પષ્ટ કરે છે કે પડોશી દેશ ખીણમાં આતંકવાદની આગને ભડકાવવાનું ચાલુ રાખે છે.

પાકિસ્તાની સિગારેટ અને ડ્રગ્સ મળ્યા

સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પાસેથી M4 રાઇફલ્સ, AK-47, ગ્લોક પિસ્તોલ અને સેંકડો રાઉન્ડ કારતૂસ મળી આવ્યા હતા. સેના અને ગુપ્તચર એજન્સીઓ માટે સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, પાકિસ્તાની સિગારેટ પેકેટ, ડ્રગ્સની ગોળીઓ અને સૂકા ફળોની જપ્તી છે. આ પુરાવા છે કે આ આતંકવાદીઓને સીધા પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. આ જપ્ત કરાયેલી વસ્તુઓથી સુરક્ષા એજન્સીઓને સમજવામાં મદદ મળી કે આ સ્થાનિક નહીં પણ તાલીમ પામેલા આતંકવાદીઓ હતા જે સીધા સરહદ પારથી આવ્યા હતા, જેમનું મિશન ખીણમાં આતંક ફેલાવવાનું હતું.

મુનીર પોતાના નાપાક હરકતો થી પાછળ નહી હટે

પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ અસીમ મુનીર અને ISI ભલે પોતાના હાથ ધોઈ લેવાના કેટલાય પ્રયત્નો કરે, પરંતુ સત્યને છુપાવી શકાય તેમ નથી. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે અનેકવાર દાવો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પ્રયત્નો પાકિસ્તાની ધરતી પરથી થઈ રહ્યા નથી, પણ હકીકત કંઈક જુદી જ કહે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી પોતાના નેટવર્ક મારફતે આતંકવાદીઓને ખીણમાં ઘૂસાડીને ત્યાંનું વાતાવરણ બગાડવાના મિશનમાં લાગી છે.

ભારતે પાઠ ભણાવ્યો

પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો એ પાકિસ્તાની નાપાક ઈરાદાઓનું જીવંત ઉદાહરણ છે. પાકિસ્તાની આતંકવાદીઓએ ધર્મ પૂછ્યા પછી 26 નિર્દોષ યાત્રાળુઓની નિર્મમ હત્યા કરી હતી. તેના જવાબમાં ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હાથ ધર્યું, જેમાં પાકિસ્તાનની ધરતી પર સ્થિત આતંકવાદી કેમ્પોને ચોક્કસ નિશાન બનાવવામાં આવ્યા. બાદમાં જ્યારે પાકિસ્તાની સેનાએ ભારત પર વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતીય દળોએ બ્રહ્મોસ મિસાઈલોથી નવ પાકિસ્તાની એરબેઝ પર  હુમલો કરીને અસીમ મુનીરનો અહંકાર ભસ્મીભૂત કરી નાખ્યો. આ ભારે જવાબી કાર્યવાહી બાદ જ પાકિસ્તાને બીજા જ દિવસે યુદ્ધવિરામની ઓફર આપી દીધી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">