હવે મોદી સરકારનુ મિશન મોસમ, વિદેશની જેમ હવામાન અંગે મળશે માહિતી, જાણો સમગ્ર યોજના

|

Sep 13, 2024 | 8:07 PM

Mission Mausam : હવે હવામાનની સચોટ માહિતી યોગ્ય સમયે ઉપલબ્ધ થશે. મિશન મોસમથી આ શક્ય બનશે. આ માટે સરકારે 2 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. તેનો હેતુ દેશના હવામાન વિભાગને અપગ્રેડ કરવાનો છે.

હવે મોદી સરકારનુ મિશન મોસમ, વિદેશની જેમ હવામાન અંગે મળશે માહિતી, જાણો સમગ્ર યોજના

Follow us on

બદલાતી જતા આબોહવાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આમાં અનિશ્ચિતતા વધી છે. ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો ક્યાંક આપણે દુષ્કાળનો સામનો કરી રહ્યા છીએ. વાદળ ફાટવાના બનાવો પણ વધ્યા છે. આને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું પગલું ભર્યું છે. જેથી સમયસર હવામાનની સચોટ માહિતી મેળવી શકીએ. આ માટે AI અને મશીન લર્નિંગની મદદથી હવામાન વિશેની દરેક માહિતી એકઠી કરવામાં મદદરૂપ થશે. આ સંદર્ભમાં મિશન મોસમ જેવું મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે 2 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

મિશન મોસમ હેઠળ કૃત્રિમ વાદળો વિકસાવવા અને રડારની સંખ્યામાં 150 ટકાથી વધુનો વધારો કરવા માટે પ્રયોગશાળાઓ બનાવવાની સાથે સાથે નવા ઉપગ્રહો, સુપર કોમ્પ્યુટર અને ઘણું બધું જરૂરી તમામ સાધનો અને ઉપકરણોના ઉમેરવાનો સમાવેશ થશે.

શા માટે જરૂરી છે?

  • પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનું કહેવું છે કે, હવામાનની આગાહી હજુ પણ પડકારજનક છે. આ વાતાવરણીય પ્રક્રિયાઓની જટિલતા અને મોડેલ રિઝોલ્યુશનની મર્યાદાઓને કારણે છે. આના કારણે, ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં હવામાનની આગાહી કરવી એટલી સરળ નથી.
  • નિરીક્ષણ ડેટા પણ પૂરતો નથી. NWP (ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન) મોડલના રિઝોલ્યુશનને કારણે, નાના પાયે હવામાનની ઘટનાઓની ચોક્કસ આગાહી કરવી સરળ નથી. આ મોડલ હાલમાં 12 કિલોમીટર સુધી વિસ્તરે છે.
  • આ સાથે વાતાવરણમાં થતા ફેરફારને કારણે, પર્યાવરણ વધુ અવ્યવસ્થિત બની રહ્યું છે. જેના કારણે કેટલીક જગ્યાએ દુષ્કાળ પડે છે તો અન્ય સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવું, વીજળી પડવી, ચક્રાવાત અને વાવાઝોડા એ દેશમાં સૌથી ઓછી સમજી શકાય તેવી હવામાનને લગતી ઘટનાઓ છે.
  • મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, વાદળોની અંદર અને બહાર, સપાટી પર, ઉપરના વાતાવરણમાં, મહાસાગરોની ઉપર અને ધ્રુવીય પ્રદેશોમાં થતી હવામાન સંબંધિત દરેક ગતિવિધિઓ પર સંશોધનની જરૂર છે.
  • આ માટે ઉચ્ચ આવર્તન અવલોકન સાથેની ટેકનોલોજી જરૂરી છે. આ સિવાય નાના પાયે હવામાનની આગાહી કરવા માટે, NWP મોડલનું રિઝોલ્યુશન વધારીને 12 કિલોમીટરથી અંતર ઘટાડીને છ કિલોમીટરનું કરવું પડશે. જેથી હવામાનને લગતી ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ શકે.

આગામી પાંચ વર્ષમાં શું થશે?

કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવનું કહેવું છે કે, આ પાંચ વર્ષનું મિશન બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો માર્ચ 2026 સુધી ચાલશે. આમાં ઓબ્ઝર્વેશન નેટવર્કને વિસ્તારવા પર ફોકસ કરવામાં આવશે. તેમાં લગભગ 70 ડોપ્લર રડાર, સારા કોમ્પ્યુટર અને 10 વિન્ડ પ્રોફાઇલર અને 10 રેડિયોમીટર લગાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

બીજા તબક્કામાં, નિરીક્ષણ ક્ષમતાઓને વધુ વધારવામાં આવશે. આ માટે સેટેલાઇટ અને એરક્રાફ્ટને જોડવા પર ફોકસ કરવામાં આવશે.

મુખ્ય ઉદ્દેશો શું છે?

મિશન મોસમનો ઉદ્દેશ્ય ટૂંકાથી મધ્યમ ગાળાની હવામાન આગાહીની ચોકસાઈને સુધારવાનો છે, જે હાલમાં પાંચથી લઈને 10 ટકા પર લક્ષિત છે. આ સાથે તમામ મોટા મહાનગરોમાં હવાની ગુણવત્તાના અનુમાનમાં 10 ટકાનો સુધારો કરવો પડશે.

Next Article