બેદરકારી રાખી તો વધી શકે છે Coronaનો પ્રકોપ, છૂટ પણ પાછી ખેંચાઈ શકે છે: આરોગ્ય મંત્રાલય
દેશમાં કોરોનાની સ્થિતી પર પ્રેસ કોન્ફરન્સ કરતા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે દેશમાં 66 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ સ્તર છે.
દેશમાં કોરોના (Corona Virus)ની સ્થિતી પર પ્રેસ કોન્ફરન્સ કરતા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે (Love Agrawal) કહ્યું કે દેશમાં 66 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ સ્તર છે. દેશમાં 86 જિલ્લા એવા છે, જ્યાં રોજના 100 કેસ આવી રહ્યા છે. 90 જિલ્લામાં 80ટકા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. લિમિટેડ એરિયામાં કેસ સમેટાયા છે. તેમણે કહ્યું કે કેન્દ્રના સ્ટેટ સાથે મળીને કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. રિકવરી રેટમાં ઘણો વધારો થયો છે.
પરિસ્થિતી આ રહી તો વધી શકે છે કેસ
આરોગ્ય મંત્રાલય (Health Ministry) તરફથી પ્રેસ કોન્ફરન્સમાં મસૂરીના કેમ્પટી ફોલના વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે કોવિડ ગયો નથી. આ જ પરિસ્થિતી રહી તો આપણ ફરી ફેલ થઈ શકીએ છીએ. આરોગ્ય મંત્રાલયે દુનિયાના કેટલાય કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરી વધવાનું ઉદાહરણ આપ્યુ.
તેમણે કહ્યું કે યૂકે, રશિયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, કોરિયા, ઈન્ડોનેશિયામાં કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ત્રીજી લહેરમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. સાઉથ કોરિયામાં પણ કેસ વધી રહ્યા છે. માસ્ક સંબંધિત છૂટ આપી હતી પણ હવે ફરી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં પણ કેસ વધી રહ્યા છે.
બેદરકારીથી વધી શકે છે વાયરસનો પ્રકોપ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાના નિયમોના ઉલ્લંઘનના ફોટા પર ચિંતા વ્યક્ત કરી છે. કેટલીય જગ્યા પર ખુલ્લે આમ બેદરકારી થઈ રહી છે. શહેર, બજાર, ટૂરિસ્ટ પ્લેસ પર દરેક જગ્યાએ પ્રધાનમંત્રીએ પણ ભીડને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. બેદરકારીથી વાયરસનો પ્રકોપ વધી શકે છે.
લોકલ એડમિનિસ્ટ્રેશન કોવિડ નોર્મ્સનું પાલન કરાવે
તેમણે આગળ કહ્યું કે ટુરિઝમ હોવું જોઈએ. જિંદગી વધવી જોઈએ પણ બેદરકારી ન વર્તવી જોઈએ. નહીં તો વાયરસનો પ્રકોપ વધશે. અપીલ છે કે આ રીતનો માહોલ પેદા ન કરીએ. હવે એ માહોલ નથી આવ્યો. આ રીતે વાયરસને મોકો આપીશું તો આપણને જે છૂટ મળી છે તે પણ છીનવાઈ શકે છે. તેમણે કહ્યું પર્યટન સ્થળના લોકલ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી છે કે કોવિડના નોર્મ્સનું પાલન કરાવે. વીકે પૉલે કહ્યું કે બાળકો માટે ઝાયડસ કેડિલાની વેક્સિનને એક્ઝામાઈન કરવામાં આવી રહી છે.
ડેટાને જોતા જે રેકમેન્ડેશન સામે આવશે તેને ફોલો કરીશુ. કોવિડ યાત્રા પર લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ યાત્રાને લઈને જે કડકાઈ હતી, તેમાં ઢીલ મળી છે. જે પણ કાર્ય થાય તે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કરવાનું છે.
આ પણ વાંચો: કોરોનામાં અનાથ થયેલા બાળકોને હવે 18 વર્ષના બદલે 21 વર્ષ સુધી આર્થિક સહાય અપાશે : સીએમ રૂપાણી