કોરોનામાં અનાથ થયેલા બાળકોને હવે 18 વર્ષના બદલે 21 વર્ષ સુધી આર્થિક સહાય અપાશે : સીએમ રૂપાણી
કોરોનામાં અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના(Corona) માં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બાળકો (Orphan Child) સાથે ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’ સંવાદ કાર્યક્રમમાં સીએમ રૂપાણી(CM Rupani) એ સંવેદનશીલ જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે બાળકો ને 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
એટલે કે કોરોનામાં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળકને આપશે
Latest Videos
Latest News