National : આજે મમતા બેનર્જી કરશે પીએમ મોદી સાથે મુલાકાત, રાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધીને પણ મળી શકે છે

સૂત્રોએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi )સાથેની બેઠકમાં તેઓ પશ્ચિમ બંગાળના જીએસટી લેણાં અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે.

National : આજે મમતા બેનર્જી કરશે પીએમ મોદી સાથે મુલાકાત, રાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધીને પણ મળી શકે છે
Today Mamata Banerjee will meet PM Modi(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:45 AM

પશ્ચિમ બંગાળના (West Bengal ) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee )આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેઓ હાલ દિલ્હીની(Delhi ) ચાર દિવસની મુલાકાતે છે. તેમની બેઠકમાં પશ્ચિમ બંગાળના GST લેણાં સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જો કે, પશ્ચિમ બંગાળના ભાજપના નેતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કેન્દ્રને ચેતવણી આપી છે કે તેઓ “મમતાની કોઈ વાતો”માં ન આવે.

મમતા અને મોદીની મુલાકાત પહેલા દિલીપ ઘોષે કહ્યું, મમતા રાજકીય સંદેશ આપવા માટે આવી બેઠકોનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું, “મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકોનો ઉપયોગ કરીને સંદેશ મોકલે છે કે સેટિંગ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને મમતાની જાળમાં ફસાવું જોઈએ નહીં.

દિલ્હી પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા બેનર્જી અહીં પાર્ટીના સાંસદોને મળ્યા હતા. મમતાએ તેમની સાથે સંસદના વર્તમાન સત્ર અને 2024ની લોકસભા ચૂંટણી વિશે ચર્ચા કરી. સૂત્રોનું માનીએ તો મમતા બેનર્જીના ભત્રીજા અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી બેઠક દરમિયાન ખૂબ જ અવાજ ઉઠાવતા હતા અને તેમણે સૂચવ્યું હતું કે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસોમાં સાંસદોએ કયા મુદ્દા ઉઠાવવા જોઈએ. બંનેએ તેમના પક્ષના સાંસદોને સ્પષ્ટપણે કહ્યું કે ભાજપથી ‘ડરવું’ નહીં.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મમતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે

મમતા બેનર્જી શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. સૂત્રોએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં તેઓ પશ્ચિમ બંગાળના જીએસટી લેણાં અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે.

સોનિયા ગાંધીને પણ મળી શકે છે

મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળી શકે છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી 7 ઓગસ્ટે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે શનિવારે DMK, TRS અને AAP જેવા બિનકોંગ્રેસી વિપક્ષી નેતાઓ સાથે પણ બેઠક યોજાવાની છે.

દરમિયાન, તૃણમૂલ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું, “અમે (કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી) ગિરિરાજ સિંહને મળ્યા હતા અને તેમણે 48 કલાકમાં મનરેગાનો મુદ્દો ઉકેલવાનું વચન આપ્યું હતું. તેને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને મને જે મળ્યું છે તે એક કાઉન્ટર લેટર છે, જે મેં મમતા બેનર્જીને આપ્યો છે.

મમતા મીડિયા સાથે વાત નહીં કરે

સૂત્રોએ સંકેત આપ્યો છે કે બેનર્જી મીડિયાને સંબોધિત કરે તેવી શક્યતા નથી કારણ કે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી રાજ્યમાં નોકરી માટેના રોકડ કૌભાંડમાં EDના સ્કેનર હેઠળ આવ્યા છે. વડાપ્રધાન મોદી 7 ઓગસ્ટે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં કૃષિ, આરોગ્ય અને અર્થવ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">