નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
જાણીતા લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. બાદમાં 2023માં તેમને ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. પીએમએ કહ્યું, ‘મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji’s contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024
તેમણે કહ્યું, ‘રાજ્યસભામાં તેમની હાજરી એ આપણી ‘નારી શક્તિ’નો શક્તિશાળી સાક્ષી છે, જે આપણા દેશનું ભાગ્ય ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.
સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પછી 2023માં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં તેમના યોગદાન માટે સંસદના ઉપલા ગૃહમાં 12 સભ્યોને નામાંકિત કરે છે. સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિ આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સ્થાપક છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમના જમાઈ છે.
સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓ પર સારી પકડ ધરાવે છે. તેમણે સમાજ સેવા અને સાહિત્યમાં તેમના યોગદાન માટે સમાજમાં અમીટ છાપ છોડી છે. તેમની નવલકથા ડોલર બહુ મૂળ કન્નડમાં લખવામાં આવી હતી અને બાદમાં અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી હતી. જેને વ્યાપક પ્રશંસા મળી હતી. કર્ણાટકમાં દેશસ્થ માધવ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી સુધા મૂર્તિને તેના મૂળ સાથે ઊંડો સંબંધ છે. તેમને એક પુત્રી અક્ષતા છે.
સુધા મૂર્તિના નામે 150 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેણીએ લિંગ ભેદભાવ અને સ્ટીરિયોટાઇપિંગ વિરુદ્ધ લખ્યું છે. દાવો કરવામાં આવે છે કે તેમની સંપત્તિ 775 કરોડ રૂપિયા છે. આમ છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવે છે.