AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSSના વડાનું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમોનોને ડરવાની જરૂર નથી, પરંતુ તેઓ સર્વશ્રેષ્ઠ છે એવો ખોટો દાવો ન કરવો જોઈએ

મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે 'અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ' તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી.

RSSના વડાનું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમોનોને ડરવાની જરૂર નથી, પરંતુ તેઓ સર્વશ્રેષ્ઠ છે એવો ખોટો દાવો ન કરવો જોઈએ
Mohan Bhagwat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 1:38 PM
Share

આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે ‘અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ’ તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી, પરંતુ તેઓએ ‘તેમના સર્વોપરિતાનો ખોટો ઢોંગ કરવામાં આવી રહ્યો છે’ તેને છોડી દેવો જોઈએનું નિવેદન આપ્યું હતુ. જે બાદ આ નિવેદનને લઈને ભારે ચર્ચા જામી છે.

મોહન ભાગવતે કહ્યું- મુસલમાનોએ પોતે શ્રેષ્ઠ છે નો દાવો છોડી દેવો જોઈએ

તેઓએ કહ્યું હતુ કે, અમે એક મહાન જાતિના છીએ. અમે આ દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરીશું. ફક્ત આપણો માર્ગ સાચો છે. આપણે જુદા છીએ, તેથી આપણે એવા જ રહીશું. અમે સાથે રહી શકતા નથી, જેવી તમામ બાબતો પર મુસ્લિમોએ માન્યતા છોડી દેવી જોઈએ. અહીં રહેતા લોકો ભલે હિન્દુ હોય કે સામ્યવાદી, દરેકે આ વલણ છોડી દેવું જોઈએ. મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની વાર્તા છોડી દેવી જોઈએ કે તેઓ એક સમયે દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરશે.

હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે

આરએસએસના વડાએ કહ્યું, સરળ સત્ય એ છે કે ભારતે ભારત જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુકસાન નથી. તેમજ ડરવાનું પણ કંઈ નથી. પણ તે માટે પહેલા તો, મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની ઉશ્કેરણી જનક દલીલો છોડી દેવી જોઈએ. ઈન્ટરવ્યુમાં મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં જાગૃતિ આવી છે જે હિંદુઓમાં નવી આક્રમકતાને સમજાવે છે. ભાગવતે કહ્યું કે ભારત પ્રાચીન સમયથી એક છે, પરંતુ દરેક વખતે મૂળ હિન્દુ ભાવનાને ભૂલી જવામાં આવતી હોય છે.

ભાગવતે કહ્યું કે વિશ્વભરના હિંદુઓમાં ફરી આક્રમકતા એ સમાજની જાગૃતિને કારણે છે જે એક હજાર વર્ષથી વધુ સમયથી યુદ્ધમાં છે. તેમણે કહ્યું, તમે જુઓ, હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. આ લડાઈ વિદેશી આક્રમણ, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્રો સામે ચાલી રહી છે. સંઘે આ માટે પોતાનું સમર્થન આપ્યું છે, તો અન્યોએ પણ આપ્યું છે.

સંઘે જાણી જોઈને સક્રિય રાજકારણથી પોતાને દૂર રાખ્યા છે

સાંસ્કૃતિક સંગઠન હોવા છતાં રાજકીય મુદ્દાઓ સાથે આરએસએસની સંડોવણી અંગે ભાગવતે કહ્યું કે સંઘે જાણી જોઈને સક્રિય રાજકારણથી પોતાને દૂર રાખ્યા છે, પરંતુ તે હંમેશા આપણી રાષ્ટ્રીય નીતિઓ, રાષ્ટ્રીય હિત અને હિંદુ હિતને અસર કરતી રાજનીતિ સાથે સંકળાયેલું છે. માત્ર એટલો જ તફાવત, તેમણે ઉમેર્યું, કે અગાઉ અમારા સ્વયંસેવકો રાજકીય સત્તાના હોદ્દા પર ન હતા. તેની વર્તમાન સ્થિતિમાં આ એકમાત્ર ઉમેરો છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે સ્વયંસેવકો જ રાજકીય પક્ષ દ્વારા અમુક રાજકીય હોદ્દા પર પહોંચ્યા છે. સંઘ સમાજને સંગઠિત કરતું રહે છે.

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">