ભાઈ, એવુ તો એમણે શુ કર્યુ છે કે આપણે તેમને રાષ્ટ્રપિતા કહીએ ? BJP- RSSને આડે હાથે લેતા નીતિશકુમાર
હાલમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાષ્ટ્રપિતાના સંદર્ભમાં ભાજપ અને આરએસએસ પર શાબ્દિક હુમલો કર્યો છે. નીતિશ કુમારે કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે, તેમણે દેશની આઝાદી માટે શું કર્યું છે ? છેવટે, આપણે શા માટે તેમને રાષ્ટ્રપિતા તરીકે બોલાવવા અથવા સ્વીકારવા જોઈએ ? નીતિશ કુમારે કહ્યું કે તેમણે દેશની આઝાદી માટે કંઈ જ કર્યું નથી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આરએસએસનું કોઈ યોગદાન નથી. નીતીશ કુમાર નવા રાષ્ટ્રપિતા પર આરએસએસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે શું તેમને નવા ભારતના રાષ્ટ્રપિતા બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને ન્યૂ ઈન્ડિયાના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અમૃતા ફડણવીસે કહ્યું કે દેશમાં બે રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધી જૂના સમયના રાષ્ટ્રપિતા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. અમૃતા ફડણવીસના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા નીતિશ કુમારે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
#WATCH | They had nothing to do with the fight for Independence. RSS didn’t have any contribution towards the fight for Independence…we read about the remark of ‘New father of nation’…what has the ‘new father’ of ‘new India’ done for nation?: Bihar CM Nitish Kumar (31.12) pic.twitter.com/5RdJmrasIP
— ANI (@ANI) January 1, 2023
ભગતસિંહ કોશ્યારીએ પણ શિવાજી અંગે કરી હતી ટિપ્પણી
તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ વિશેની ટિપ્પણીને લઈને ભારે હોબાળો થયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવાજી મહારાજ પર ટિપ્પણી કરી હતી. વિપક્ષે ગવર્નરને જૂના દિવસોનો આદર્શ ગણાવતા તેમની આકરી ટીકા કરી હતી. વિપક્ષની ટીકા બાદ રાજ્યપાલ કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતુ. તેમણે કહ્યું હતું કે આવા મહાન વ્યક્તિત્વનું અપમાન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.