Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

|

Feb 05, 2022 | 10:34 AM

કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ
Jolts of earthquake felt in Kashmir Noida (Symbolic photo)

Follow us on

Earthquake : ભારતમાં આજે અનેક જગ્યાએ ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ કાશ્મીર, નોઈડા (Kashmir, Noida) અને અન્ય વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ચોક્કસપણે ગભરાટ ફેલાયો હતો, પરંતુ હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ દરમિયાન ચંદીગઢમાં લગભગ બે સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીર સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું છે કે આજે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

પાકિસ્તાનમાં ભૂકંપ

મીડિયા અહેવાલો અનુસાર, શનિવારે ઇસ્લામાબાદ, રાવલપિંડી અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના અન્ય શહેરોમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટર, ઈસ્લામાબાદ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં 210 કિમીની ઊંડાઈએ હતું.

આ કારણે ભૂકંપ આવે છે

ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે. શરૂઆતમાં જ્યાં ખડક તૂટે છે તેને ધરતીકંપનું કેન્દ્રબિંદુ અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. જમીન પરના કેન્દ્રબિંદુની બરાબર ઉપરના ભાગને એપીસેન્ટર કહેવામાં આવે છે.

આ પણ વાંચો : U19 World Cup, IND vs ENG, Head to Head Records: કોણ ઉઠાવશે વિશ્વકપ, ભારત કે ઇંગ્લેન્ડ? ફાઇનલ પહેલા 8 મેચોનુ હેડ ટુ હેડ રિપોર્ટ કાર્ડ, જુઓ

Published On - 10:14 am, Sat, 5 February 22

Next Article