3500 km રેન્જ, દરિયામાંથી દુશ્મન પર કરશે હુમલો…ભારતની K-4 ન્યુક્લિયર મિસાઈલે પાકિસ્તાનનું વધાર્યું ટેન્શન
ભારતીય નૌકાદળ અને DRDOએ સમુદ્રમાં એક મહત્વપૂર્ણ સિક્રેટ પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાતથી K-4 SLBM મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ બાદ ભારત હવે દરિયામાંથી પરમાણુ હુમલા કરી શકશે જેના કારણે ભારતની પરમાણુ શક્તિમાં વધારો થયો છે.

ભારતે પોતાની સ્વદેશી K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. આ લાંબા અંતરની પરમાણુ મિસાઈલ છે. તેને INS અરિઘાત નામની સબમરીનથી છોડવામાં આવી હતી. આ પરીક્ષણ સાથે ભારત દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ શક્તિશાળી દેશ બની ગયો છે. 27 નવેમેબરના રોજ ભારતીય નૌકાદળ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જે સબમરીનમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે. 3,500 કિમીની રેન્જ ધરાવતી આ બેલિસ્ટિક મિસાઇલની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. આ K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં એક સીમાચિહ્નરૂપ છે. તેને DRDO દ્વારા બનાવવામાં આવી છે. આ મિસાઈલ પાણીની અંદરથી દુશ્મનના પ્રદેશને ચોક્કસ નિશાન બનાવી શકે છે. આ પરીક્ષણથી ભારતની પરમાણુ શક્તિ વધુ મજબૂત બની છે. આ ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિને અનુરૂપ...