AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી 300 કિલો RDX, એક AK-47 મળ્યા

જમ્મુ પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોક્ટરે એક રૂમ ભાડે લીધો હતો. પોલીસને તેના રૂમમાંથી આશરે 300 કિલો RDX, 2 AK-47 રાઈફલ, 84 કારતૂસ અને રસાયણો મળી આવ્યા હતા.

મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી 300 કિલો RDX, એક AK-47 મળ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2025 | 10:46 AM
Share

જમ્મુ પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોક્ટરે એક રૂમ ભાડે લીધો હતો. પોલીસને તેના રૂમમાંથી આશરે 300 કિલો RDX, 2 AK-47 રાઈફલ, 84 કારતૂસ અને રસાયણો મળી આવ્યા હતા. આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક વિશેષ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને ઘર પર દરોડો પાડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGH) નામના આતંકવાદી સંગઠનની તપાસનો એક ભાગ છે. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણ ડોક્ટરો આ સંગઠન સાથે સંકળાયેલા હતા. આમાંથી બે ડોક્ટરો, આદિલ અહેમદ રાથેર (અનંતનાગનો રહેવાસી) અને મુઝમ્મિલ શકીલ (પુલવામાનો રહેવાસી) ને સહારનપુર અને ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજો ડોક્ટર હજુ પણ ફરાર છે.

આદિલ જીએમસીમાં કરે છે કામ

ઉલ્લેખનીય છે કે, આદિલ રાથેર એ જ ડોક્ટર છે જેનું નામ તાજેતરમાં જ બીજા એક સનસનાટીભર્યા કેસમાં ફસાયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ મેડિકલ કોલેજ (જીએમસી) ખાતે તેમના અંગત લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહી અનંતનાગના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (JIC) ની મદદથી હાથ ધરી હતી. તે સમયે, આદિલ રાથેર કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરતો હતો, પરંતુ તેણે 24 ઓક્ટોબર, 2024 ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તપાસ એજન્સીઓ માને છે કે આદિલ અને તેના સાથી ડોક્ટરો આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદના નેટવર્કને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સંગઠનની રચના 2017 માં હિઝબુલ મુજાહિદ્દીનના ભૂતપૂર્વ કમાન્ડર ઝાકિર મુસા દ્વારા કરવામાં આવી હતી અને તેનો હેતુ કાશ્મીરમાં શરિયા કાયદા હેઠળ ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો અને ભારત સામે જેહાદ કરવાનો છે.

RDX ક્યાંથી આવ્યું?

પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો RDX અને શસ્ત્રો ફરીદાબાદ કેવી રીતે પહોંચ્યા અને આ ડોક્ટરોએ આતંકવાદીઓ સાથે શું ભૂમિકા ભજવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઘણા રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક હોવાનું સૂચવવામાં આવ્યું છે, અને એજન્સીઓ કાશ્મીર ખીણ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે તેના સંબંધો શોધી રહી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">